Vartman Pravah
Breaking Newsદીવ

દીવના બુચરવાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો : ગ્રામવાસીઓએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20
‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ અને માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન દ્વારા દીવની જનતાના હિત માટે ‘ પ્રશાસન ગાવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત 20/12/2021 થી 24/12/2021 સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે દરમિયાન દીવ જિલ્લાની ચારેય ગ્રામ પંચાયતોમાં અને ઘોઘાલા પંચાયત ચોક ખાતે કાર્યક્રમો યોજાશે. જે સંદર્ભે આજરોજ બુચરવાડા ગ્રામ પંચાયત ખાતે 11 કલાકે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દીવ જિલ્લાની મુખ્‍ય કચેરીના સ્‍ટોલો, સ્‍વાસ્‍થ્‍ય વિભાગ, બેંક વગેરેના સ્‍ટોલો મૂકવામાં આવ્‍યા હતા. જેનો દીવની જનતાએ લાભ લીધો હતો.
આ અવસરે મામલતદાર શ્રી ચંદ્રહાસ વાઝાની સંપૂર્ણ દેખરેખ હેઠળ કાર્યક્રમનું સંચાલન થયું હતું. તા. ર1મી ડિસેમ્‍બરેસાઉદવાડી ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાશે.

Related posts

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્‍કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment