April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણવાપી

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડા તોશીંગપાડામાં ધાબળા અને કપડાનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
લાયન્‍સ પરિવાર દમણ દ્વારા છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ તા.09/11/ર0ર1ના રવિવારના રોજ વલસાડ ડિસ્‍ટ્રીક્‍ટના, કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડા તોશીંગપાડામાં ધાબળા અને કપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમ ચેરમેન લાયન શ્રી પ્રવિણ પ્રભાકરના વડપણ હેઠળ તોશિંગપાડા ગામે આજુબાજુના ગામો વડ, દિવા, બોતરી, વળવી, ખોંગે વગેરેથી આવેલ ખુબજ જરૂરિયાતમંદ લોકોને પ00 નંગ ધાબળા, (બ્‍લેકેટ) અને કપડાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં હાજર રહેલ બાળકોને પણ પાઉચ, કપડા, બિસ્‍કિટ અને ચોકલેટનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આ એરિયાના સેવાભાવી અગ્રણી શ્રી સોમાભાઈ, વડ ગામના સરપંચ શ્રી નવસુભાઈ, દિવા ગામના સરપંચ શ્રી ભગુભાઈ, બોતરી ગામના સરપંચ શ્રી સોનજીભાઈ, વળવી ગામના સરપંચ શ્રી જાનુભાઈ અને ખોંગે ગામના સરપંચ શ્રી મંગળભાઈએ તેમની હાજરી અને સહયોગ આપ્‍યો હતો.
લાયન પરિવાર દ્વારા દમણમાં છેલ્લા સાત વર્ષથી વલસાડ જિલ્લા અને સેલવાસના અંતરિયાળ ગામોમાં જઈનેજરૂરિયાતમંદોને સતત મદદ કરી રહેલ છે અને આ કાર્યક્રમ માટે લાયન પરિવારના સભ્‍યો અને દમણના દાતાઓનો પણ મોટો સહકાર મળી રહ્યો છે.
આજના આ પ્રસંગે લાયન પરિવાર દમણના પ્રેસિડેન્‍ટ શ્રી વિજયભાઈ, નોન ચેયરમેન ઉષા રાણા, શ્રી પ્રવિણભાઈ પટેલ, શ્રી હર્ષદ સાહુ, શ્રી પ્રવિણ પ્રભાકર, શ્રી ખુશમન ઢીમ્‍મર, શ્રી કાન્‍તિ પામસી, શ્રી નિતિન પટેલ, શ્રી અશોક રાણા, શ્રી કાન્‍તિ દમણિયા, શ્રી ધનસુખભાઈ, શ્રી હિરાભાઈ, શ્રી રોહિત, ધર્મિષ્‍ઠાબેન, જ્‍યોત્‍સનાબેન, કવિતાબેન, સવિતાબેન, જ્‍યોતિબેન, રિટાબેન, ગાયત્રીબેન, રશ્‍મિબેન, વર્ષાબેન, પાર્વતીબેન, પ્રજ્ઞાબેન, લિયો ધ્‍વનિત અને લિયો સલોનીએ પોતાની સેવા અને હાજરી આપી હતી.

Related posts

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

Leave a Comment