Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02
આજરોજ તારીખ 2જી ફેબ્રુઆરી 2022ના રોજ દિલ્‍હીથીદેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન કર્યુ હતું.
આ સંબોધન સૌ સાથે મળી એક સાથે માણી શકાય જેને લઈ ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાની માર્ગદર્શન હેઠળ પારડી ભાજપ શહેર મંડળ દ્વારા પારડી સ્‍વાધ્‍યાય મંડળ ખાતે આ કાર્યક્રમ એલીડી દ્વારા નિહાળવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું જેને લઇ આજે સવારે સ્‍વાધ્‍યાય મંડળ ખાતે પારડી શહેર ભાજપ પ્રભારી લલીતભાઈ ગુગલીયા, જીગીત્‍સાબેન પટેલ, પારડી ભાજપ શહેર પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ સંગઠનના તમામ હોદ્દેદારો તમામ મોરચાના પદાધિકારીઓ, નગરપાલિકાના સદસ્‍યો, શક્‍તિ કેન્‍દ્ર તથા બુથ પ્રમુખો તથા તમામ ભાજપના કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ સાથે મળી નિહાળ્‍યો હતો
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આ કાર્યક્રમ અંતર્ગત સંબોધનમાં જણાવ્‍યું હતું કે સંયુક્‍ત રાષ્‍ટ્રને પણ આ બજેટમાં ઘોષણા કરવામાં આવી છે કે આકાક્ષી જિલ્લાઓમાં રાજ્‍યોની સાથે મળી આકાક્ષી બ્‍લોક પ્રોગ્રામ ચલાવવામાં આવશે એટલે કે એને હજુ નીચે સુધી લઈ જાય વિકાસનો લાભ છેલ્લા છોડ સુધી પહોંચાડવાનો વૈજ્ઞાનિક રીત છે અને ધનનો સદુપયોગ કરવાનો, સંશોધનનો ખરો ઉપયોગ કરી ફોકસ એક્‍ટિવેટ કરવાનો એક રસ્‍તો છે ગ્રામીણ ક્ષેત્રમાં બ્‍લોક સ્‍તરે જરૂરી સુવિધા પહોંચેએના પર સરકારનો જોર છે આ ઉપરાંત રાષ્‍ટ્રની સુરક્ષા, બજેટ, અર્થવ્‍યવસ્‍થા તથા બીજા અનેક ક્ષેત્રે તેમણે સંબોધન કર્યું હતું.

Related posts

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

તહેવારોમાં વેચાતા દેવી-દેવતાઓના ફોટાવાળા સામાન પર પ્રતિબંધ મૂકવા પારડી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદાર અને પારડી નગપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

Leave a Comment