April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧: વલસાડ જિલ્લાના “પી.એમ.જે.એ.વાય – મા યોજના” અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી લાભાર્થીઓને ઘરે ઘરે આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનો દ્વારા આયુષ્માન કાર્ડ (પી.વી.સી. કાર્ડ) વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્ડ માટે ઈ – કે.વાય.સી.(E-KYC) ફરજીયાત છે. જ્યાં “પી.એમ.જે.એ.વાય – મા યોજના” કાર્ડ બનાવ્યો હોય તેવા સેન્ટરો જેવા કે, વી.સી.ઇ. (ઇ-ગ્રામ), CSC (કોમન સર્વિસ સેન્ટર) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અથવા પી.એમ.જે.એ.વાય. મા કાર્ડ યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧૫ દિવસોમાં ઈ-કે.વાય.સી. (E-KYC) કરી આપવામાં આવશે. જે અંગેની વધુ માહિતી માટે આપના વિસ્તારનાં આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનોનો સંપર્ક સાધી શકાશે. “પી.એમ.જે.એ.વાય – મા યોજના” નાં લાભાર્થીઓને ઈ-કે.વાય.સી. (E-KYC) કરાવવા તથા આ યોજનાનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી ખાસ અપીલ કરવામાં આવી હતી.

Related posts

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

Leave a Comment