January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧: વલસાડ જિલ્લાના “પી.એમ.જે.એ.વાય – મા યોજના” અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી લાભાર્થીઓને ઘરે ઘરે આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનો દ્વારા આયુષ્માન કાર્ડ (પી.વી.સી. કાર્ડ) વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્ડ માટે ઈ – કે.વાય.સી.(E-KYC) ફરજીયાત છે. જ્યાં “પી.એમ.જે.એ.વાય – મા યોજના” કાર્ડ બનાવ્યો હોય તેવા સેન્ટરો જેવા કે, વી.સી.ઇ. (ઇ-ગ્રામ), CSC (કોમન સર્વિસ સેન્ટર) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અથવા પી.એમ.જે.એ.વાય. મા કાર્ડ યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧૫ દિવસોમાં ઈ-કે.વાય.સી. (E-KYC) કરી આપવામાં આવશે. જે અંગેની વધુ માહિતી માટે આપના વિસ્તારનાં આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનોનો સંપર્ક સાધી શકાશે. “પી.એમ.જે.એ.વાય – મા યોજના” નાં લાભાર્થીઓને ઈ-કે.વાય.સી. (E-KYC) કરાવવા તથા આ યોજનાનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી ખાસ અપીલ કરવામાં આવી હતી.

Related posts

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું કરેલુંનિરીક્ષણ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

વાપી મોહિની જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર

vartmanpravah

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

Leave a Comment