Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧: વલસાડ જિલ્લાના “પી.એમ.જે.એ.વાય – મા યોજના” અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી લાભાર્થીઓને ઘરે ઘરે આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનો દ્વારા આયુષ્માન કાર્ડ (પી.વી.સી. કાર્ડ) વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્ડ માટે ઈ – કે.વાય.સી.(E-KYC) ફરજીયાત છે. જ્યાં “પી.એમ.જે.એ.વાય – મા યોજના” કાર્ડ બનાવ્યો હોય તેવા સેન્ટરો જેવા કે, વી.સી.ઇ. (ઇ-ગ્રામ), CSC (કોમન સર્વિસ સેન્ટર) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અથવા પી.એમ.જે.એ.વાય. મા કાર્ડ યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧૫ દિવસોમાં ઈ-કે.વાય.સી. (E-KYC) કરી આપવામાં આવશે. જે અંગેની વધુ માહિતી માટે આપના વિસ્તારનાં આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનોનો સંપર્ક સાધી શકાશે. “પી.એમ.જે.એ.વાય – મા યોજના” નાં લાભાર્થીઓને ઈ-કે.વાય.સી. (E-KYC) કરાવવા તથા આ યોજનાનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી ખાસ અપીલ કરવામાં આવી હતી.

Related posts

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું લક્ષદ્વીપના કવરત્તી ખાતે આગમન : અધિકારીઓ સાથે શરૂ થયેલોચર્ચા-વિચારણાનો દોર

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્‍ટર નૈમેષ દવેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ

vartmanpravah

કપરાડાના સિલ્‍ધની સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શન યોજાયું

vartmanpravah

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment