(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧: વલસાડ જિલ્લાના “પી.એમ.જે.એ.વાય – મા યોજના” અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી લાભાર્થીઓને ઘરે ઘરે આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનો દ્વારા આયુષ્માન કાર્ડ (પી.વી.સી. કાર્ડ) વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્ડ માટે ઈ – કે.વાય.સી.(E-KYC) ફરજીયાત છે. જ્યાં “પી.એમ.જે.એ.વાય – મા યોજના” કાર્ડ બનાવ્યો હોય તેવા સેન્ટરો જેવા કે, વી.સી.ઇ. (ઇ-ગ્રામ), CSC (કોમન સર્વિસ સેન્ટર) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અથવા પી.એમ.જે.એ.વાય. મા કાર્ડ યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧૫ દિવસોમાં ઈ-કે.વાય.સી. (E-KYC) કરી આપવામાં આવશે. જે અંગેની વધુ માહિતી માટે આપના વિસ્તારનાં આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનોનો સંપર્ક સાધી શકાશે. “પી.એમ.જે.એ.વાય – મા યોજના” નાં લાભાર્થીઓને ઈ-કે.વાય.સી. (E-KYC) કરાવવા તથા આ યોજનાનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી ખાસ અપીલ કરવામાં આવી હતી.