Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
દાદરા નગર હવેલીના સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં ન્‍હાવા જતા તણાઈ જતા એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી નહેર નજીક રહેતા સિધ્‍ધાર્થ અવધેશ પાંડે ઉ.વ.11 જે સવારે લગભગ 10-30 વાગ્‍યાના સુમારે પોતાના ઘર નજીક આવેલ નહેરમાં બીજા 3 મિત્ર સાથે નહાવા ગયો હતો. સિધ્‍ધાર્થને તરતા આવડતુ નહીં હતું. જેથી જોતજોતામાં નહેરના પાણીમા ગરકાવ થઈ ગયો હતો. એના સાથી મિત્રોએ ઘટનાની જાણ એના પરિવારને કરી હતી.
ઘટના સ્‍થળથી થોડે દૂર સિધ્‍ધાર્થની બોડી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને પરિવારના સભ્‍યો પહોંચ્‍યા હતા. પોલીસની ટીમે લાશનો કબ્‍જો લઈ પીએમ માટે સિવિલમા મોકલી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ સુરેશ રાઉતે હાથ ધરી છે.

Related posts

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

કલા મહાકુંભ પ્રતિયોગીતામાં વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment