June 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા ગામમાં દિપડાની હાજરી યથાવત: એક ગાયનું મારણ કર્યું ગામમાં ભયનો માહોલ

ઝંડાચોક વિસ્‍તાર સહિત દિપડો અવાર નવાર નજરાય છે :
ફોરેસ્‍ટનું પાંજરુ પણ કારગત નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લામાં અનેક ગામોમાં જંગલી રાની પશુઓની અવર જવર સમયાંતરે જોવા મળી રહી છે. વલસાડ નજીક આવેલ પ્રસિધ્‍ધ યાત્રાધામ પારનેરા ગામે પણ છેલ્લા બે મહિનાથી દિપડાની હાજરી વારંવાર જોવા મળી રહી છે. તેથી ગામમાં ભયનો માહોલ આચ્‍છાદિત થયેલો જોવા મળે છે. ગતરોજ રાતે દિપડાની એન્‍ટ્રી ગામમાં થઈ હોવાનું પ્રતિત થયું છે. દિપડો એક ગાયનું મારણ કરી ભાગી ગયો હતો.
વલસાડના પારનેરા ગામે છેલ્લા બે મહિનાથી દિપડો આવતો જતો રહે છે. થોડા સમય પહેલાં ઝંડાચોકમાં જાહેર રોડ ઉપર દિપડો રાતે લોકોએ જોયો હતો તેથી દિપડાને કબજે કરવા માટે ગ્રામજનોની રજૂઆત ગામમાં પાંજરૂ પણ વનવિભાગે ગોઠવ્‍યું છે. પણ ચાલક દિપડો બે મહિનાથી પાંજરે પુરાતો ન હોવાથી ગ્રામજનો ભયના ઓથાર વચ્‍ચેજીવી રહ્યા છે. રોજ જીવ પડીકે બંધાઈ રહે છે. પંચાયતે પારનેરા ડુંગર સહિત દિપડા અંગેની ચેતવણીના જાહેર બોર્ડ પણ સલામતિ અને ચેતવણી માટે લગાવ્‍યા છે. પણ દિપડો હજુ પકડાતો નથી. માનવી પર્યાવરણ અને જંગલોનો વિનાશ વિકાસના નામે કરી રહ્યો છે તેથી જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્‍તારમાં ખોરાકની શોધમાં અવાર નવાર આવવાનો સિલસિલો વલસાડ જિલ્લામાં યથાવત રહ્યો છે.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

કલાકાર પોતાના સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ બરદાસ્‍ત નહી કરે : કરન જાદુગર

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment