August 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા ગામમાં દિપડાની હાજરી યથાવત: એક ગાયનું મારણ કર્યું ગામમાં ભયનો માહોલ

ઝંડાચોક વિસ્‍તાર સહિત દિપડો અવાર નવાર નજરાય છે :
ફોરેસ્‍ટનું પાંજરુ પણ કારગત નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લામાં અનેક ગામોમાં જંગલી રાની પશુઓની અવર જવર સમયાંતરે જોવા મળી રહી છે. વલસાડ નજીક આવેલ પ્રસિધ્‍ધ યાત્રાધામ પારનેરા ગામે પણ છેલ્લા બે મહિનાથી દિપડાની હાજરી વારંવાર જોવા મળી રહી છે. તેથી ગામમાં ભયનો માહોલ આચ્‍છાદિત થયેલો જોવા મળે છે. ગતરોજ રાતે દિપડાની એન્‍ટ્રી ગામમાં થઈ હોવાનું પ્રતિત થયું છે. દિપડો એક ગાયનું મારણ કરી ભાગી ગયો હતો.
વલસાડના પારનેરા ગામે છેલ્લા બે મહિનાથી દિપડો આવતો જતો રહે છે. થોડા સમય પહેલાં ઝંડાચોકમાં જાહેર રોડ ઉપર દિપડો રાતે લોકોએ જોયો હતો તેથી દિપડાને કબજે કરવા માટે ગ્રામજનોની રજૂઆત ગામમાં પાંજરૂ પણ વનવિભાગે ગોઠવ્‍યું છે. પણ ચાલક દિપડો બે મહિનાથી પાંજરે પુરાતો ન હોવાથી ગ્રામજનો ભયના ઓથાર વચ્‍ચેજીવી રહ્યા છે. રોજ જીવ પડીકે બંધાઈ રહે છે. પંચાયતે પારનેરા ડુંગર સહિત દિપડા અંગેની ચેતવણીના જાહેર બોર્ડ પણ સલામતિ અને ચેતવણી માટે લગાવ્‍યા છે. પણ દિપડો હજુ પકડાતો નથી. માનવી પર્યાવરણ અને જંગલોનો વિનાશ વિકાસના નામે કરી રહ્યો છે તેથી જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્‍તારમાં ખોરાકની શોધમાં અવાર નવાર આવવાનો સિલસિલો વલસાડ જિલ્લામાં યથાવત રહ્યો છે.

Related posts

ગુજરાત રાજ્‍યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાની મુલાકાતે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

સેલવાસના નક્ષત્ર વન નજીકથી 15 ફૂટ લાંબો અજગર પકડી જંગલમાં છોડવામાં આવ્‍યો

vartmanpravah

દાનહ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 12મી એપ્રિલના શુક્રવારે સેલવાસ રિવર ફ્રન્‍ટ ઉપર ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024’નું થનારૂં આયોજન

vartmanpravah

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

Leave a Comment