September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીપારડીવલસાડવાપીસેલવાસ

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

વાંસદા ધારાસભ્‍ય અનંત પટેલ સેલવાસના અભિનવ ડેલકર સહિતના આદિવાસી નેતાઓને મામલતદારને આવેદન આપ્‍યું: આદિવાસીઓનો એક સુર ડેમ માટે એક પથ્‍થર નહી મુકવા દઈએ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28
ડાંગ-ધરમપુર વિસ્‍તારમાંરીવર લીંક પ્રોજેક્‍ટ અંતર્ગત બનનરા સૂચિત ડેમોના પ્રચંડ વિરોધ માટે આજે સોમવારે ધરમપુરમાં આદિવાસીઓની યોજાયેલી વિશાલ રેલીમાં ઘોડાપુર ઉમટયું હતું. ચૂસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ વિવિધ આદિવાસીઓ નેતાઓની આગેવાની હેઠળ યોજાયેલ પ્રચંડ રેલી ધરમપુર મામલતદાર કચેરી પહોંચી હતી. ત્‍યાં આવેદનપત્ર પાઠવીને સૂચિત ડેમોનો એક સૂરે આદિવાસી જન સમુદાયે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
તાજેતરમાં સંસદમાંરજૂ થયેલા બજેટમાં દક્ષિણ ગુજરાતના દમણગંગા નદીથી લઈ નર્મદા નદી સુધીનો રીવર લીંક પ્રોજેક્‍ટની ઘોષણા કરવામાં આવી છે. જેના ઘેર પ્રત્‍યાઘાતનો ડાંગ-ધરમપુર વિસ્‍તારના આદિવાસીઓમાં પડયા રિવર લીંક પ્રોજેક્‍ટમાં કેટલાક ગામો સૂચિત બંધાનારા ડેમોમાં ડુબાણમાં જતા હોવાની ફેલાયેલી સજ્જ ગેરસમજનો વિરોધ વંટોળ છેલ્લા 15-ર0 દિવસથી પૂર્વ આદિવાસી પટ્ટીમાં પ્રવર્તી રહ્યો છે. જેના વિરોધ માટે પત્રિકાઓ, જાહેરાતો કરીને તા. ર8 ફેબ્રુઆરીએ ધરમપુરમાં રીવર લીંક પ્રોજેક્‍ટના વિરોધમાં રેલીનું આયોજન કરાયું હતું. તેથી સવારથી જ ધરમપુરમાં આદિવાસી સમુદાયના ગામે ગામથી ધાડેધાડ ઉતરી રહ્યા હતા.
બીજી તરફ કોઈ અનિચ્‍છનીય ઘટના કે વાતાવરણ ડહોળાય નહી તે માટે જિલ્લા પોલીસનો કાફલો ધરમપુરમાં ખડકાઈ ગયો હતો. આદિવાસી નેતા ધારાસભ્‍ય અનંત પટેલ, સેલવાસના આદિવાસી નેતા શ્રી અભિનવ ડેલકર, તાલુકા પંચાયત જિ.પં.ના સભ્‍યો તેમજ કોંગ્રેસના આગેવાનો ધરમપુરમાં ઉપસ્‍થિત રહી રેલીનું નેતૃત્‍વ કર્યુ હતું. રેલીને સંબોધન કરતા શ્રી અનંત પટેલે જણાવ્‍યું હતું કે હું ડેમનો એક પથ્‍થર મુકવા દઈશુ નહી તેવો રણ ટંકાર કર્યો હતો. બિરસા મુંડા સર્કલ પાસેથી શરૂ થયેલી રેલી અંતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હાર ચઢાવીશાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

Related posts

‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા આયોજીત સાયકલ રેલીને મળેલું પ્રચંડ સમર્થનઃ સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ થયેલું લોન્‍ચિંગ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન

vartmanpravah

ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું  હોવાનો કોંગ્રેસનો આરોપ 

vartmanpravah

Leave a Comment