(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
દાદરા નગર હવેલીના વેલુગામ મોરપાડા ગામે વારલી સમાજમાં જાગળતિ લાવવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા હાલમાં સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ ઓછુ છે એના માટે લોકોમાં જાગરૂકતા લાવવા અને કેટલાક યુવાઓ વ્યસનના બંધાણી છે તેઓને વ્યસન મુક્ત કરી સામાજીક કાર્યોમા જોડવા અને વારલી સમાજને કેવી રીતે આગળ લાવી શકાય એના માટે ખાસ ચર્ચાઓ કરવામા આવી હતી.
આ અવસરે સમાજના પ્રમુખ શ્રી શંકરભાઇ ગોરાત, સામાજીક કાર્યકર્તા ભારતીબેન ગોતરના,શ્રી સંજય ગોરાત, શ્રી પ્રવિણ ગોરાત, શ્રી વિજય ટિમ્બરીયા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.