March 2, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

  • સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ છેલ્લા સાડા પાંચ વર્ષમાં કુપોષિત બાળકો અને ટીબીના દર્દીઓને પૌષ્‍ટિક આહાર, જરૂરી વિટામીન્‍સ અને દવા મળે તેવી સીએસઆર અંતર્ગત કરાયેલી વ્‍યવસ્‍થા બાદ દેખાતું પરિણામ

  • રાષ્‍ટ્રીય સ્‍તરે પણ સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસની સુંદર કામગીરી બદલ પારિતોષિક આપી લેવાતી નોંધ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવ પ્રશાસન 2023 સુધીમાં પ્રદેશમાંથી ટીબીના રોગચાળાને નાબુદ કરવા લીધેલો સંકલ્‍પ આવકારદાયક છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટીબીના દર્દીઓની સંખ્‍યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. તે પ્રશાસન અને આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા પ્રયાસનું પરિણામ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઔદ્યોગિક અને પ્રવાસન નગરી હોવાથી દરરોજ અહીં હજારો લોકોની આવન-જાવન રહેતી હોય છે. ઘણા શ્રમિકો ચેપગ્રસ્‍ત બનીને પણ પ્રદેશમાં પોતાનું પેટીયું રળવા માટે આવતા હોય છે. પરંતુ સંઘપ્રદેશ પ્રશાસને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્‍યા વગર કરેલા માઈક્રોસ્‍તરના આયોજનના કારણે આજે પ્રદેશ ટીબીમુક્‍ત બનવાની કગાર ઉપર છે. આ નાની સિદ્ધિ નથી અને પ્રદેશની ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પણ પહેલ છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના ઔદ્યોગિક ગૃહોને સીએસઆર અંતર્ગત કુપોષિત બાળકો અને ટીબીના દર્દીઓને પોષ્‍ટિક આહાર તથા જરૂરી વિટામીન્‍સ દવાની કરેલી વ્‍યવસ્‍થાના પરિણામે આજે પ્રદેશમાં 40 ટકા જેટલા ટીબીના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે.
સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે પણ કોરોના રોગચાળાની સાથે સાથે ટીબીના પરિક્ષણ અને નિયંત્રણ માટે પોતાના સતત પ્રયાસો જાળવી રાખ્‍યાહતા. સંઘપ્રદેશમાં આરોગ્‍ય સેવાને લોકાભિમુખ અને અસરકારક બનાવવા પ્રશાસન હંમેશા પ્રયત્‍નશીલ રહ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસને 2023માં દાદરા નગર હવેલી અને દમણ-દીવને ટીબી મુક્‍ત બનાવવાનો સંકલ્‍પ જાહેર કર્યો છે. જેમાં એક નાગરિક તરીકે આપણી પણ કેટલીક જવાબદારીઓ બને છે. સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલા સ્‍વચ્‍છતા આંદોલનને આપણી આદત બનાવી ગંદકી નહી કરીશું કે ખુલ્લામાં થુંકશુ નહી તો પણ ટીબી જેવા ભયાનક રોગચાળાને ફેલાતો રોકવા આપણે સહભાગી બની શકીશું.
પ્રજાના સહયોગ વગર કોઈપણ સંકલ્‍પ ફક્‍ત પ્રશાસનના પ્રયાસથી સફળ નથી થતા. તેથી 2023માં દાદરા નગર હવેલી અને દમણ-દીવને ટીબી મુક્‍ત બનાવવાના અભિયાનમાં આપણે દરેકે નાની નાની વાતની કાળજી રાખી ટેકો આપી તે આજના સમયની માંગ છે અને રાષ્‍ટ્ર હિત પણ છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઔદ્યોગિક અને પ્રવાસનની સાથે સાથે હેલ્‍થ ટૂરીઝમના વિકાસની પણ વિપુલ તકો રહેલી છે. આ સંઘપ્રદેશનું વાતાવરણ દરેક મોસમમાં અનુラકૂળ છે. વન અને સમુદ્ર પણ મૌજુદ છે. સુપર સ્‍પેશ્‍યાલીટી ધરાવતી હોસ્‍પિટલની જ ફક્‍ત કમી છે. સુપ્રસિદ્ધ ડોક્‍ટરોની ટીમ હોય અને દરેક ઈલાજ થઈ શકે એવી સવલત હોય તો દેશ-વિદેશથી અનેક દર્દીઓ અહીંસારવાર માટે લાઈન લગાવી શકે છે.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્‍સ સેમિનાર યોજાયો

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

સંસદ ભવન દિલ્‍હી પરિસર સ્‍થિત બિરસા મુંડાની પ્રતિમાને વલસાડ સાંસદે પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

વાપી તાલુકાના યુવાધનને આજે રૂા. 12.05 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી આઈટીઆઈની ભેટ મળશે

vartmanpravah

Leave a Comment