મુખ્યમંત્રીશ્રીને ભેટ આપેલી શામળાજી મંદિરની તસવીરઃ શામળાજી મંદિરના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે પણ કરાયેલી ચર્ચા
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.26 : આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાત ભાજપના યુવા નેતા અને પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શામળાજી મંદિરના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા-વિચારણાં પણ કરી હતી. શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શામળાજી મંદિરની તસવીર પણ ભેટ આપી હતી.