Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવસેલવાસ

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દાનહના રખોલી આ.પોસ્‍ટના એ.એસ.આઈ. એસ.આર. વાડકરનાઓએ નોંધ કરાવી હતી. કે તા.ર5/03/2022 કલાકે 16.00 વાગ્‍યેના સુમારે એએસઆઈ ગુલાબ પટેલ ખડોલી પોલીસ પોલીસ સ્‍ટેશનનાઓએ જાણ કરી હતી કે તેઓને યોગેશ માહલા રહેવાસી ખડોલીએ જાણ કરી હતી કે ખાનવેલ સાતમાળીયા પુલના નીચે પાણીમાં ઉબડી હાલતમાં લાશ પડેલ છે એ અંગેની માહિતી મળતા ઈન્‍ચાજ રખોલી આ.પો.ના.ઓ એચ.એસ. એમ મહાલા પી.સી. વિનોદ રાઉત, મુકેશ મહાલા, એચજી વસંત બડઘા સહિત તમામ ડ્રા.પો.કો.મહેન્‍દ્ર સાથે ટાવેરા ગાડીમાં ઘટના સ્‍થળે પહોંચતા સાતમાળીયા પુલ નીચે જોતા થોડાક ઊંડાણવાળા પાણીમાં જોતા એક લાશ ફેલેલી હાલતમાં ઉબડી પડી હતી. જેના કંમરેપેંટ પહેરેલ હતું. જે બાદ ખાનવેલ કાર્યપાલક મેજી સાહેબ તથા એસએચઓ પણ જગ્‍યા ઉપર આવ્‍યા હતા. જે બાદ ખાનવેલ એસડીએચથી સબ વાહની બોલાવી સ્‍વીપર મારફતે લાશને બહાર કાઢતા લાશ પુરુષની હોવાની જાણ થઈ હતી. જે ડી-કમ્‍પોસ હાલતમાં હોવાથી ઓળખાણ થઈ શકી નથી. જેના ઉપર બીજા કોઈ નિશાનો દેખાતા ન હતા. જે લાશનો મોબાઈલથી ફોટા પાડી લાશને કોલ્‍ડ રૂમમાં રાખવા માટે શબવાહિનીમાં એસડીએચ ખાનવેલમાં મોકલવવામાં આવેલ છે. તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

vartmanpravah

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

vartmanpravah

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

Leave a Comment