Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

વાપી ગુંજનમાં જીઈબી અંડરગ્રાઉન્‍ડ કેબલીંગનું ખાતમુહૂર્ત અને જે ટાઈપ રોડનું લોકાર્પણ કરાશે તેમજ દિલીપભાઈની વાડીમાં ટિફીન બેઠક યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25
વાપીમાં આવતીકાલ તા.26 માર્ચ શનિવારના રોજ રાજ્‍યના નાણાં અને ઉર્જા કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીના વિવિધ વિસ્‍તારોમાં વિકાસ કાર્યો, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે.
પારડીના ધારાસભ્‍ય અને રાજ્‍ય સરકારના કેબિનેટમાં શ્રી કનુભાઈ દેસાઈ નાણાં અને ઉર્જા મંત્રી બન્‍યા ત્‍યાર પછી વાપી વિસ્‍તારમાં અઢળક વિકાસ કાર્યો હાથ ધર્યા છે. જેમાંમહત્ત્વના વિકાસ કાર્યોમાં રેલવે અંડર પાસ, છરવાડા રોડ અંડરપાસ, સીટી બસ સેવા જેવા મહત્ત્વના વિકાસ કામોની યાદી લાંબી છે. આ રફતારમાં શનિવારે ગુંજન લો.પ્રાઈઝ સુપર સ્‍ટોર્સ પાસે સવારે 10 કલાકે જીઈબી અંડરગ્રાઉન્‍ડ લાઈન પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત તથા જે-ટાઈપ જી.આઈ.ડી.સી. રીડેવલોપમેન્‍ટ થયેલ રોડનું લોકાર્પણ શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે થનાર છે. ત્‍યારબાદ સવારે 11:00 કલાકે દિલીપભાઈ દેસાઈની વાડીમાં ટિફિન બેઠક શહેર સંગઠન કેન્‍દ્ર નં.9માં યોજાશે તેમજ વોલ પેઈન્‍ટનો કાર્યક્રમ પણ શનિવારે યોજાનાર છે.

Related posts

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

Leave a Comment