April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરી

જે તે દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી પરંતુ દબાણ દૂર નહી કરાતા કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી જીઆઈડીસી ગુંજન વિસ્‍તારમાં સરકારી જમીન તથા ખુલ્લી જમીનોમાં ગેરકાયદે દબાણો વધી ચૂક્‍યા હતા. લોકોની વ્‍યાપક ફરિયાદો પણ વારંવાર ઉઠતી રહેલી તેથી વાપી નોટિફાઈડ ઓથોરિટીએ દબાણો હટાવવા અંગે નોટીસ પાઠવી હતી પરંતુ સ્‍વેચ્‍છિક દબાણો નહી હટતા અંતે ગુરૂવારે નોટિફાઈડએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી.
વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં સમયાંતરે ગ્રીન સ્‍પેશમાં દબાણો વધતા રહે છે તેની સામે દબાણો હટાવવાની માંગ ઉઠે છે. થોડા સમય પહેલાં અંબામાતા મંદિર નજીક ગાર્ડન પાસે દબાણો હટાવાયા હતા. ફરી થોડા સમય બાદ કેટલાક વેપારીઓએ દબાણો કરી દીધા હતા તેથી નોટિફાઈડે નોટિસો પાઠવી હતી. તેના ભાગ રૂપે ગુરૂવારે દબાણો દૂર કરવા નોટિફાઈડે જેસીબીનો હથોડો મારી દીધો હતો. આગામી સમયે ચણોદ વિસ્‍તારમાં પણ દબાણો દૂર કરવામાં આવશે તેવું નોટિફાઈડના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્‍યુંહતું.

Related posts

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

ચીખલીના ફડવેલમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિની સિગ્નેચર ડ્રાઈવને સફળ પ્રતિસાદ

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં મરઘીનો શિકાર કરવા આવેલ ૯ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

Leave a Comment