Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૧૮: વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતા શહેરના મોગરાવાડી રેલવે ગરનાળામાં કચરો, રેતી, માટી વગેરે ભરાતા પાણીના નિકાલ માટે ભારે તકલીફ પડી રહી હતી. જેથી થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા લોકોને અવરજવર માટે લાંબો ચકરાવો ખાવો પડતો હોય છે. જેથી મોગરાવાડીના હજારો લોકોની સમસ્યાનો નિકાલ લાવવા માટે તા. 18 જુલાઈને સોમવારના રોજ મોગરાવાડી ગરનાળુ વલસાડ નગર પાલિકા દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું. પાલિકા સભ્ય ગીરીશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા ગરનાળાની સફાઈ કરવામાં આવી હતી. જેથી સરળતાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે.

Related posts

દીવ ઘોઘલામાં લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ અને જાહેર જનતા વચ્‍ચે દલીલ થઈ

vartmanpravah

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment