February 4, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

વલસાડઃ તા. ૨૪: રાજ્‍યમાં નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાનો જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ કલેક્‍ટર કચેરી, વલસાડના સભાખંડ ખાતે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકાના ૯, ધરમપુર તાલુકાના ૩ અને ઉમરગામ તાલુકાના એક મળી કુલ ૧૩ અરજદારોએ હાજર રહી પોતાના પ્રશ્‍નોની રજૂઆત કરી હતી. જે પૈકી ધરમપુર અને ઉમરગામ તાલુકાના તમામ ૪ અને વલસાડ તાલુકાના ૭ અરજદારો પ્રશ્‍નોનો નિકાલ કરાયો હતો, જ્‍યારે વલસાડ તાલુકાના બે અરજદારોના પ્રશ્‍નો પેન્‍ડિંગ રહેવા પામ્‍યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ અને અરજદારો હાજર રહયા હતા.

Related posts

વલસાડ કચ્‍છ કડવા પાટીદાર સમાજ અને કચ્‍છી ભાનુશાલી સમાજ ભવન ખાતે શ્રી ઉમીયા સોશિયલ ગૃપ વલસાડ દ્વારા આયોજીત ગ્રીન વલસાડના મંત્ર સાથે એક પેડ મેરી માં કે નામ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

Leave a Comment