January 16, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

વલસાડઃ તા. ૨૪: રાજ્‍યમાં નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાનો જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ કલેક્‍ટર કચેરી, વલસાડના સભાખંડ ખાતે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકાના ૯, ધરમપુર તાલુકાના ૩ અને ઉમરગામ તાલુકાના એક મળી કુલ ૧૩ અરજદારોએ હાજર રહી પોતાના પ્રશ્‍નોની રજૂઆત કરી હતી. જે પૈકી ધરમપુર અને ઉમરગામ તાલુકાના તમામ ૪ અને વલસાડ તાલુકાના ૭ અરજદારો પ્રશ્‍નોનો નિકાલ કરાયો હતો, જ્‍યારે વલસાડ તાલુકાના બે અરજદારોના પ્રશ્‍નો પેન્‍ડિંગ રહેવા પામ્‍યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ અને અરજદારો હાજર રહયા હતા.

Related posts

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

Leave a Comment