Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

વલસાડઃ તા. ૨૪: રાજ્‍યમાં નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાનો જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ કલેક્‍ટર કચેરી, વલસાડના સભાખંડ ખાતે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકાના ૯, ધરમપુર તાલુકાના ૩ અને ઉમરગામ તાલુકાના એક મળી કુલ ૧૩ અરજદારોએ હાજર રહી પોતાના પ્રશ્‍નોની રજૂઆત કરી હતી. જે પૈકી ધરમપુર અને ઉમરગામ તાલુકાના તમામ ૪ અને વલસાડ તાલુકાના ૭ અરજદારો પ્રશ્‍નોનો નિકાલ કરાયો હતો, જ્‍યારે વલસાડ તાલુકાના બે અરજદારોના પ્રશ્‍નો પેન્‍ડિંગ રહેવા પામ્‍યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ અને અરજદારો હાજર રહયા હતા.

Related posts

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્‍પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટી

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની ઈનોવેશન હબની બે ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા

vartmanpravah

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment