July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

ન.પા. દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે અને પાલિકાને સહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવા સાથ આપે 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ,તા.19: દાદરા નગર હવેલીમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખના માર્ગદર્શનમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે જે અંતર્ગત પાલિકા વિસ્‍તારમાં ચેકીંગ દરમ્‍યાન મોટી સંખ્‍યામાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક રેનકોટ જપ્ત કરવામાં આવ્‍યા છે. પાલિકા દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ કરાયો છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે અને પાલિકાનેસહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવા સાથ આપે.

સેલવાસ પાલિકા શહેરી વિસ્‍તારમાં દરેક નાગરિકોને સ્‍વચ્‍છ અને સુંદર પ્‍લાસ્‍ટિક મુક્‍ત સેલવાસ બનાવવા માટે યોગદાન આપવા અપીલ કરે છે.

 સેલવાસ નગરપાલિકા દ્વારા દરેક દુકાનદારો અને નાગરવાસીઓને સુચિત કરવામાં આવે છે કે 75 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ છે અને 31 ડિસેમ્‍બર 2022થી 120 માઇક્રાનથી ઓછી જાડાઈના પ્‍લાસ્‍ટિક પાલિકા વિસ્‍તારમાં પ્રતિબંધિત થનાર છે એની સાથે હેન્‍ડલિંગ અને પ્રબંધન સંશોધન 2020 અનુસાર ઘણી વસ્‍તુઓ જેવી કે એકલ પ્રયોગ થર્મોકોલ/પ્‍લાસ્‍ટિકની બનેલ વસ્‍તુઓ થાળી, કપ, ગ્‍લાસ, વાટકી, ચમચી, ચાકુ, પ્‍લાસ્‍ટિક સ્‍ટ્રો સાથે પ્‍લાસ્‍ટિકની બનેલ કટલરી થર્મોકોલ સ્‍ટેરોફ્રોમ થાળી કપ, ગ્‍લાસ, સિંગલ યુઝરેબલ પેન, સજાવટ માટે ઉપયોગમાં લેવામાં આવતી થર્મોકોલ પોલીપ્રોપિલિન બેગ વગેરે પ્રતિબંધિત છે એનો ઉપયોગ અને વેચાણ કરવો દંડનીય અપરાધ છે.

Related posts

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

Leave a Comment