Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

ન.પા. દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે અને પાલિકાને સહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવા સાથ આપે 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ,તા.19: દાદરા નગર હવેલીમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખના માર્ગદર્શનમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે જે અંતર્ગત પાલિકા વિસ્‍તારમાં ચેકીંગ દરમ્‍યાન મોટી સંખ્‍યામાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક રેનકોટ જપ્ત કરવામાં આવ્‍યા છે. પાલિકા દ્વારા દરેક દુકાનદારો અને નગરવાસીઓને અનુરોધ કરાયો છે કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનું વેચાણ અથવા ઉપયોગ નહીં કરે અને પાલિકાનેસહયોગ કરે અને શહેરને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવા સાથ આપે.

સેલવાસ પાલિકા શહેરી વિસ્‍તારમાં દરેક નાગરિકોને સ્‍વચ્‍છ અને સુંદર પ્‍લાસ્‍ટિક મુક્‍ત સેલવાસ બનાવવા માટે યોગદાન આપવા અપીલ કરે છે.

 સેલવાસ નગરપાલિકા દ્વારા દરેક દુકાનદારો અને નાગરવાસીઓને સુચિત કરવામાં આવે છે કે 75 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ છે અને 31 ડિસેમ્‍બર 2022થી 120 માઇક્રાનથી ઓછી જાડાઈના પ્‍લાસ્‍ટિક પાલિકા વિસ્‍તારમાં પ્રતિબંધિત થનાર છે એની સાથે હેન્‍ડલિંગ અને પ્રબંધન સંશોધન 2020 અનુસાર ઘણી વસ્‍તુઓ જેવી કે એકલ પ્રયોગ થર્મોકોલ/પ્‍લાસ્‍ટિકની બનેલ વસ્‍તુઓ થાળી, કપ, ગ્‍લાસ, વાટકી, ચમચી, ચાકુ, પ્‍લાસ્‍ટિક સ્‍ટ્રો સાથે પ્‍લાસ્‍ટિકની બનેલ કટલરી થર્મોકોલ સ્‍ટેરોફ્રોમ થાળી કપ, ગ્‍લાસ, સિંગલ યુઝરેબલ પેન, સજાવટ માટે ઉપયોગમાં લેવામાં આવતી થર્મોકોલ પોલીપ્રોપિલિન બેગ વગેરે પ્રતિબંધિત છે એનો ઉપયોગ અને વેચાણ કરવો દંડનીય અપરાધ છે.

Related posts

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment