October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આજે તારીખ 11 ઓગસ્‍ટ, 2022 ગુરૂવારના રોજ પવિત્ર રક્ષાબંધનના પર્વએ ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ બદલવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, ગત 7મી ઓગસ્‍ટ, 2022ના રોજ યોજાયેલ શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ, દમણની વાર્ષિક સાધારણ સભામાં શ્રી અપૂર્વ પાઠકને સમાજના પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. એમના પ્રમુખપદ હેઠળ સમાજના આ પ્રથમ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખો શ્રી રાજેશભાઈ ઉપાધ્‍યાય અને શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ તથા ઉપ પ્રમુખ શ્રી રાજીવ ભટ્ટ અને ભાજપ શહેર પ્રમુખ શ્રી હિરેન જોષી અન્‍ય જ્ઞાતિ બંધુઓ સાથે ખાસ જોડાયા હતા. સર્વ જ્ઞાતિ બંધુઓએ સાથે મળી ભોળાનાથનાસાંનિધ્‍યમાં યજ્ઞોપવિત્‌ બદલવાનો આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Related posts

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આરોગ્‍ય વિભાગની 13 જેટલી ટીમો દ્વારા લોકોની તપાસ કરી અપાઈ રહેલી સારવાર

vartmanpravah

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

vartmanpravah

Leave a Comment