June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આજે તારીખ 11 ઓગસ્‍ટ, 2022 ગુરૂવારના રોજ પવિત્ર રક્ષાબંધનના પર્વએ ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ બદલવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, ગત 7મી ઓગસ્‍ટ, 2022ના રોજ યોજાયેલ શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ, દમણની વાર્ષિક સાધારણ સભામાં શ્રી અપૂર્વ પાઠકને સમાજના પ્રમુખ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. એમના પ્રમુખપદ હેઠળ સમાજના આ પ્રથમ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખો શ્રી રાજેશભાઈ ઉપાધ્‍યાય અને શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ તથા ઉપ પ્રમુખ શ્રી રાજીવ ભટ્ટ અને ભાજપ શહેર પ્રમુખ શ્રી હિરેન જોષી અન્‍ય જ્ઞાતિ બંધુઓ સાથે ખાસ જોડાયા હતા. સર્વ જ્ઞાતિ બંધુઓએ સાથે મળી ભોળાનાથનાસાંનિધ્‍યમાં યજ્ઞોપવિત્‌ બદલવાનો આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Related posts

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્‍ડર પ્રક્રિયાના વિરોધમાં કોંગ્રેસે ધારાસભ્‍યની આગેવાનીમાં કરેલા ધરણાં-પ્રદર્શનઃ પાંચ લાખ રૂપિયાની મર્યાદાના કામો સરપંચોને જ સોંપવાની કરાયેલી માંગ

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

છેલ્લા 10 વર્ષથી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ

vartmanpravah

Leave a Comment