(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આજે તારીખ 11 ઓગસ્ટ, 2022 ગુરૂવારના રોજ પવિત્ર રક્ષાબંધનના પર્વએ ભીડભંજન મહાદેવ દેવાલય સ્થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્ બદલવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે યાદ રહે કે, ગત 7મી ઓગસ્ટ, 2022ના રોજ યોજાયેલ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ, દમણની વાર્ષિક સાધારણ સભામાં શ્રી અપૂર્વ પાઠકને સમાજના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમના પ્રમુખપદ હેઠળ સમાજના આ પ્રથમ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખો શ્રી રાજેશભાઈ ઉપાધ્યાય અને શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ તથા ઉપ પ્રમુખ શ્રી રાજીવ ભટ્ટ અને ભાજપ શહેર પ્રમુખ શ્રી હિરેન જોષી અન્ય જ્ઞાતિ બંધુઓ સાથે ખાસ જોડાયા હતા. સર્વ જ્ઞાતિ બંધુઓએ સાથે મળી ભોળાનાથનાસાંનિધ્યમાં યજ્ઞોપવિત્ બદલવાનો આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.