April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

ઓરવાડ ગામમાં રૂ. 113.13 લાખના વિકાસના 56 કામોનું લોકાર્પણ અને રૂ. 51.95 લાખના 17 કામોનું ખાતમૂહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા. 20: ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં કરેલો અભૂતપૂર્વ વિકાસની માહિતી જન જન સુધી પહોંચે અને સાથે સાથે સરકારની લોકોપયોગી યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢવામાં આવી હતી. જેની પૂર્ણાહુતિ આજરોજ તા. 20 જુલાઈના રોજ પારડી તાલુકામાં થઈ હતી. જિલ્લા પંચાયતની પારડી તાલુકાની ડુંગરી બેઠકના ઓરવાડ ગામમાં આયોજિત કાર્યક્રમમાં રૂ. 113.13 લાખના વિકાસના 56 કામોનું લોકાર્પણ અને રૂ. 51.95 લાખના ખર્ચે વિકાસના 17 કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

પારડી તાલુકાના ઓરવાડ ગામમાં પહોંચેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતની ડુંગરી બેઠકના સભ્ય આશાબેન પટેલના અધ્યક્ષસ્થાને ઓરવાડ ગામમાં શિવ દર્શન હોલ ખાતે વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય આશાબેન પટેલે ઉપસ્થિત સૌને સરકારની વિકાસલક્ષી યોજનાની માહિતી આપી હતી. સાથે જ સરકારની આર્થિક સહાયથી પગભર બનેલા લોકોના વિકાસની ગાથા પણ રજૂ કરી હતી. વધુમાં તેમણે સરકાર દ્વારા આગામી દિવસોમાં થનારા વિકાસના કામોની પણ માહિતી આપી હતી. આ પ્રસંગે રૂ. 113.13 લાખના ખર્ચે તૈયાર થયેલા ડામર રસ્તા, બોર, પેવર બ્લોક, સોલાર રૂફ ટોપ, ઈલેકટ્રીક વાહન અને ગટરના 56 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી દિવસોમાં રૂ. 51.95 લાખના ખર્ચે બનનારા ડામર રસ્તા, પેવર બ્લોક, પાણીની ગટર અને જાહેર શૌચાલયના 17 કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને એલઈડી રથ થકી સરકારની વિકાસ ગાથાની માહિતી બતાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં આરોગ્ય ખાતા દ્વારા 5 લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ, 2 લાભાર્થીને પાપા પગલી કીટનું વિતરણ, સારણ અને ટૂંકવાડા ગામના સખી મંડળના ગૃપને રૂ. 30-30 હજારનું રિવોલ્વિંગ ફંડ અને એક દિવ્યાંગ લાભાર્થીને એસટી બસનો પાસ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પારડીના ઉપપ્રમુખ તરૂણભાઈ, તાલુકા પંચાયતના સભ્ય દક્ષેશભાઈ, તાલુકા સંગઠનના મહામંત્રી મુકેશભાઈ અને ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

Leave a Comment