Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

રેન્‍જ આઈજી સહિતના ઉચ્‍ચ અધિકારીઓની મીટિંગ : શહેરમાં પોલીસે ફૂટ માર્ચ યોજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: રથયાત્રાનું ધાર્મિક મહિમા વધુ છે. લોકોની આસ્‍થા જોડાયેલી છે. તેથી વિવિધ મંદિર અને ટ્રસ્‍ટો દ્વારા રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વલસાડ અને વાપી શહેરમાં આવતી કાલ તા.20 મંગળવારે અષાઢી બીજના શુભ દિને બન્ને શહેરોમાં રથયાત્રાઓ નિકળવાની હોવાથી પોલીસ એલર્ટ બની ગઈ છે. કોઈ છમકલા ના થાય તે માટે ઉચ્‍ચ અધિકારીઓએ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટેનું આયોજન સંપન્ન કરી દીધું છે. વલસાડના મોંઘાભાઈ હોલમાં શહેરના અગ્રણીઓ સાથે પોલીસે મીટિંગ યોજી હતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
વલસાડમાં ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળશે જે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં પરિક્રમા કરશે તે માટે ભક્‍તોએ ભગવાનના કલાત્‍મક રથ અને શણગાર પરિપૂર્ણ કરી દીધા છે. વાપીમાં પણ જગન્નાથ ટ્રસ્‍ટ ડુંગરા અને ઈસ્‍કોનકોપરલી દ્વારા રથયાત્રાના ભવ્‍ય આયોજન કરાયા છે. ઈસ્‍કોનની રથયાત્રા પટેલવાડી છરવાડાથી નિકળશે અને અંબામાતા મંદિરે થઈ રાતા, કોપરલી પહોંચશે. રથયાત્રા અને આગામી બકરી ઈદ ધ્‍યાને રાખી પોલીસે ગતરોજ વલસાડ શહેરમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે ચીખલીના ઘેકટીમાં કાવેરી નદીને મળતા કોતરમાં છોડાતા પ્રદૂષિત પાણી અંગે જીપીસીબી દ્વારા સેમ્‍પલો લઈ તપાસ હાથ ધરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વાપીમાં નવો સોલર એનર્જીનો અધ્‍યાય શરૂ થયો: મહાવીર સોલર પેનલ ડિસ્‍ટ્રીબ્‍યુશન બ્રાન્‍ચનો આરંભ

vartmanpravah

Leave a Comment