Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

રેન્‍જ આઈજી સહિતના ઉચ્‍ચ અધિકારીઓની મીટિંગ : શહેરમાં પોલીસે ફૂટ માર્ચ યોજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: રથયાત્રાનું ધાર્મિક મહિમા વધુ છે. લોકોની આસ્‍થા જોડાયેલી છે. તેથી વિવિધ મંદિર અને ટ્રસ્‍ટો દ્વારા રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વલસાડ અને વાપી શહેરમાં આવતી કાલ તા.20 મંગળવારે અષાઢી બીજના શુભ દિને બન્ને શહેરોમાં રથયાત્રાઓ નિકળવાની હોવાથી પોલીસ એલર્ટ બની ગઈ છે. કોઈ છમકલા ના થાય તે માટે ઉચ્‍ચ અધિકારીઓએ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટેનું આયોજન સંપન્ન કરી દીધું છે. વલસાડના મોંઘાભાઈ હોલમાં શહેરના અગ્રણીઓ સાથે પોલીસે મીટિંગ યોજી હતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
વલસાડમાં ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળશે જે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં પરિક્રમા કરશે તે માટે ભક્‍તોએ ભગવાનના કલાત્‍મક રથ અને શણગાર પરિપૂર્ણ કરી દીધા છે. વાપીમાં પણ જગન્નાથ ટ્રસ્‍ટ ડુંગરા અને ઈસ્‍કોનકોપરલી દ્વારા રથયાત્રાના ભવ્‍ય આયોજન કરાયા છે. ઈસ્‍કોનની રથયાત્રા પટેલવાડી છરવાડાથી નિકળશે અને અંબામાતા મંદિરે થઈ રાતા, કોપરલી પહોંચશે. રથયાત્રા અને આગામી બકરી ઈદ ધ્‍યાને રાખી પોલીસે ગતરોજ વલસાડ શહેરમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.

Related posts

વલસાડ એમ.આર. એસોસિએશને પડતર માંગણી અંગે લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યુ

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી આમધરાના ખેડૂત પાસે ફોન પર 1પ લાખની ખંડણી માંગી ધમકી આપનાર બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાકોર્ટે 2 દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

Leave a Comment