December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

રેન્‍જ આઈજી સહિતના ઉચ્‍ચ અધિકારીઓની મીટિંગ : શહેરમાં પોલીસે ફૂટ માર્ચ યોજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: રથયાત્રાનું ધાર્મિક મહિમા વધુ છે. લોકોની આસ્‍થા જોડાયેલી છે. તેથી વિવિધ મંદિર અને ટ્રસ્‍ટો દ્વારા રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વલસાડ અને વાપી શહેરમાં આવતી કાલ તા.20 મંગળવારે અષાઢી બીજના શુભ દિને બન્ને શહેરોમાં રથયાત્રાઓ નિકળવાની હોવાથી પોલીસ એલર્ટ બની ગઈ છે. કોઈ છમકલા ના થાય તે માટે ઉચ્‍ચ અધિકારીઓએ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટેનું આયોજન સંપન્ન કરી દીધું છે. વલસાડના મોંઘાભાઈ હોલમાં શહેરના અગ્રણીઓ સાથે પોલીસે મીટિંગ યોજી હતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
વલસાડમાં ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળશે જે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં પરિક્રમા કરશે તે માટે ભક્‍તોએ ભગવાનના કલાત્‍મક રથ અને શણગાર પરિપૂર્ણ કરી દીધા છે. વાપીમાં પણ જગન્નાથ ટ્રસ્‍ટ ડુંગરા અને ઈસ્‍કોનકોપરલી દ્વારા રથયાત્રાના ભવ્‍ય આયોજન કરાયા છે. ઈસ્‍કોનની રથયાત્રા પટેલવાડી છરવાડાથી નિકળશે અને અંબામાતા મંદિરે થઈ રાતા, કોપરલી પહોંચશે. રથયાત્રા અને આગામી બકરી ઈદ ધ્‍યાને રાખી પોલીસે ગતરોજ વલસાડ શહેરમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.

Related posts

પ્રમુખ દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment