April 18, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : 
સેલવાસના દયાત ફળિયા વિસ્‍તારમાં આવેલ બ્રહ્માંડ એપાર્ટમેન્‍ટમાં રહેતા મૂળ ઓરિસ્‍સાવાસી પરિવારની 17 વર્ષીય તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવતા વિસ્‍તારમાં ચકચાર જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના જિલ્લા મથક સેલવાસના દયાત ફળીયાના બ્રહ્માંડ એપાર્ટમેન્‍ટમાં રહેતા મૂળ ઓરિસ્‍સાના પરિવારની દીકરી એના પિતા નોકરી પર નીકળી ગયા બાદ ઘરે એના ભાઈ સાથે હતી. બાદમાં એનો ભાઈ પણ નીચે દુકાનમાં કોઈ સામાન લેવા ગયો તે સમયે તરુણીએ અગમ્‍ય કારણોસર ઘરની અંદર જ એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તરુણીનો ભાઈ પરત ઘરે આવ્‍યો ત્‍યારે તેણે જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો જેથી એણે એની બહેનને બુમો મારી પણ દરવાજો ખોલ્‍યો નહતો. તેથી એના ભાઈએ બીજી ગેલેરીમાંથી ઘરમાં ડોકાવી જોતાં એની બહેન ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા ભાઈના પગતળેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ આજુબાજુ લોકોને કર્યા બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્‍ળથે પહોંચી ફાંસો ખાધેલી તરૂણીની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડના ધરાસણામાં અષાઢી બીજે ભારે પવનથી એક વિધવા મહિલાનું મકાન તૂટી પડ્‍યું: મહિલાનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

સંઘપ્રદેશના કાયદા અને ન્‍યાય વિભાગ દ્વારા ફોજદારી બાબતોમાં તપાસ પ્રક્રિયાને લગતા સંબંધિત પાસાઓના સંદર્ભમાં યોજાઈ પ્રથમ સફળ કાર્યશાળા

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

Leave a Comment