April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડ

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.22: અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ, સમસ્‍ત કુંકણા સમાજ વાંસદા તથા શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે કુંકણા સમાજ ભવન ખાંભલા ઝાપા વાંસદા ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો. પવિત્ર શ્રાવણ માસમાં ‘‘રક્‍તદાન મહાદાન”ને સાર્થક કરવા આદિવાસી યુવાનો કુંકણા સમાજ ભવને પહોંચી ઉત્‍સાહભેર રક્‍તદાન કરાતા 61 યુનિટ રક્‍ત બેગ એકત્ર કરવામાં આવી હતી અને રક્‍તદાતાઓને મોટીવેશન માટે હેલમેટ ગીફટ આપવામાં આવી હતી. આ રક્‍તદાન કેમ્‍પમાં આગેવાન મણિલાલભાઈ તેમજ મોટી સંખ્‍યામાં યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ડો.લોચન શાષાીએ રક્‍તદાન કરી યુવાનોને પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરુ પાડી વધુમાં વધુ યુવાનોને રક્‍તદાન કરવા ભાગ લેવા અપીલ કરી હતી.
રક્‍તદાન કેમ્‍પ ને સફળ બનાવવા જશુભાઈ બી. પટેલ, રણજીતભાઈ ચૌધરી, સંજય ગાયકવાડ, મુકેશ મેસુરિયા, યોગેશ પટેલ (યોગી) બીનવાડાએ જહેમત ઉઠાવી હતી. આ આદિવાસીઓના રક્‍તદાન કેમ્‍પ ને સફળ બનાવ્‍યો હતો.

Related posts

દમણના રાજસ્‍થાની સમાજ દ્વારા શ્રી બાબા રામદેવજીની ધ્‍વજયાત્રા નિકળી

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

કપરાડા માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરેલ ડિઝલના 840 લીટર જથ્‍થો ભરેલ 24 કારબા ઝડપાયા

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment