June 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડ

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.22: અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ, સમસ્‍ત કુંકણા સમાજ વાંસદા તથા શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે કુંકણા સમાજ ભવન ખાંભલા ઝાપા વાંસદા ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો. પવિત્ર શ્રાવણ માસમાં ‘‘રક્‍તદાન મહાદાન”ને સાર્થક કરવા આદિવાસી યુવાનો કુંકણા સમાજ ભવને પહોંચી ઉત્‍સાહભેર રક્‍તદાન કરાતા 61 યુનિટ રક્‍ત બેગ એકત્ર કરવામાં આવી હતી અને રક્‍તદાતાઓને મોટીવેશન માટે હેલમેટ ગીફટ આપવામાં આવી હતી. આ રક્‍તદાન કેમ્‍પમાં આગેવાન મણિલાલભાઈ તેમજ મોટી સંખ્‍યામાં યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ડો.લોચન શાષાીએ રક્‍તદાન કરી યુવાનોને પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરુ પાડી વધુમાં વધુ યુવાનોને રક્‍તદાન કરવા ભાગ લેવા અપીલ કરી હતી.
રક્‍તદાન કેમ્‍પ ને સફળ બનાવવા જશુભાઈ બી. પટેલ, રણજીતભાઈ ચૌધરી, સંજય ગાયકવાડ, મુકેશ મેસુરિયા, યોગેશ પટેલ (યોગી) બીનવાડાએ જહેમત ઉઠાવી હતી. આ આદિવાસીઓના રક્‍તદાન કેમ્‍પ ને સફળ બનાવ્‍યો હતો.

Related posts

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની મહિલા કંડક્‍ટર આત્‍મહત્‍યા કેસમાં દિકરીના ન્‍યાય માટે પિતાએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં અધિકારી નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

યુઆઈએની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો વિજય

vartmanpravah

પ્રદેશ ભાજપની સંગઠન ચૂંટણી અંતર્ગત દમણ અને દીવના ઓબ્‍ઝર્વર તરીકે દિગ્‍વિજયસિંહ પરમાર અને સેલવાસ શહેર, સેલવાસ ગ્રામીણ તથા ખાનવેલજિલ્લાના ઓબ્‍ઝર્વર તરીકે હરિશભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો ધામધૂમથી થનારો આરંભ

vartmanpravah

Leave a Comment