June 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26 : દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ સહિત અન્‍ય રાજ્‍યોના પાકિસ્‍તાની જેલમાં બંદીવાન બનેલા માછીમારોને છોડાવવા માટે સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી 30મીએપ્રિલે દીવના 4 માછીમારો સહિત કુલ 36 માછીમારોને આગામી 30મી એપ્રિલે પાકિસ્‍તાનની જેલમાંથી મુક્‍ત કરવામાં આવશે. જેમાં દીવ જિલ્લાના શ્રી સુરેશ માંડણ, શ્રી સંજય વેલજી, શ્રી જીતેશ સોમા અને શ્રી મૌલિક કાનજીનો સમાવેશ થાય છે.
જેલમાં બંદીવાન માછીમાર પરિવારોને તેમના સ્‍વજનોને આગામી 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત થઈ રહ્યા હોવાના સમાચાર મળતાં તેમના ઘર-પરિવારમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી જોવા મળી હતી.

Related posts

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

સંઘપ્રદેશમાં આજે દારૂબંધી નથીઃ રાબેતા મુજબ દારુ-બિયર મળશે

vartmanpravah

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

Leave a Comment