Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26 : દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ સહિત અન્‍ય રાજ્‍યોના પાકિસ્‍તાની જેલમાં બંદીવાન બનેલા માછીમારોને છોડાવવા માટે સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી 30મીએપ્રિલે દીવના 4 માછીમારો સહિત કુલ 36 માછીમારોને આગામી 30મી એપ્રિલે પાકિસ્‍તાનની જેલમાંથી મુક્‍ત કરવામાં આવશે. જેમાં દીવ જિલ્લાના શ્રી સુરેશ માંડણ, શ્રી સંજય વેલજી, શ્રી જીતેશ સોમા અને શ્રી મૌલિક કાનજીનો સમાવેશ થાય છે.
જેલમાં બંદીવાન માછીમાર પરિવારોને તેમના સ્‍વજનોને આગામી 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત થઈ રહ્યા હોવાના સમાચાર મળતાં તેમના ઘર-પરિવારમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી જોવા મળી હતી.

Related posts

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજી અંગે મુસદ્દો તૈયાર કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં વિવિધ પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ અધિકારીઓને આપેલી દિશા-દોરવણી

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

વાપી બલીઠા હાઈવે પર કાર ચાલકે રેલીંગ તોડી સર્વિસ રોડ પર મોપેડને અડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

vartmanpravah

Leave a Comment