(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.26 : દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપે ઉચ્ચ સ્તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ સહિત અન્ય રાજ્યોના પાકિસ્તાની જેલમાં બંદીવાન બનેલા માછીમારોને છોડાવવા માટે સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી 30મીએપ્રિલે દીવના 4 માછીમારો સહિત કુલ 36 માછીમારોને આગામી 30મી એપ્રિલે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવશે. જેમાં દીવ જિલ્લાના શ્રી સુરેશ માંડણ, શ્રી સંજય વેલજી, શ્રી જીતેશ સોમા અને શ્રી મૌલિક કાનજીનો સમાવેશ થાય છે.
જેલમાં બંદીવાન માછીમાર પરિવારોને તેમના સ્વજનોને આગામી 30મી એપ્રિલે પાકિસ્તાની જેલમાંથી મુક્ત થઈ રહ્યા હોવાના સમાચાર મળતાં તેમના ઘર-પરિવારમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.