Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ગંગેશ્વર મહાદેવ ને ખુદ સમુદ્ર અભિષેક કરે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: દીવમાં સ્‍થિત ગંગેશ્વર મહાદેવ મંદિરની પાંચ લિંગની રચના પાંચ પાંડવ દ્વારા કરવામાં આવી છે જેનો ખુદ સમુદ્ર અભિષેક કરે છે જે દ્રશ્‍ય ખુબ જ અદભુત જોવા મળે છે.
શ્રાવણ માસ દરમિયાન લોકો મહાદેવની આરાધના કરતા હોય છે. દીવમાં પણ ગંગેશ્વર મહાદેવનુ મંદિર પ્રખ્‍યાત છેજે દીવના ફુદમ ગામે આવેલુ ખૂબ જ પ્રાચીન મંદિર છે. તો ચાલો જાણીએ ગંગેશ્વર મહાદેવ વિશે. ગંગેશ્વર મહાદેવનુ મંદિર પાંચ હજાર વર્ષ થી પણ વધુ જુનુ છે જેની રચના પાંડવો દ્વારા કરવામાં આવી હતી પાંચ પાંડવો વનવાસ દરમિયાન દીવ પણ આવી પહોંચ્‍યા હોવા ની લોક વાયકા છે તેઓ મહાદેવ ની પુજા કર્યા વગર ભોજન ગ્રહણ કરતા નહી તેથી અહી સ્‍થિત પાંચ શિવ લિંગ ની સ્‍થાપના પાંચ પાંડવો એ તેમના કદ અનુસાર કરી હતી અને પુજા કરી ભોજન કર્યું હતુ ત્‍યાર થી અહી આ પાંચ પાંડવ રચીત શિવલિંગ પુજાય છે. આ પાંચેય શિવલિંગ નજીક એક પાણીનો ખાડો હતો. કહેવાય છે કે દરીયાનુ ગમે તેટલું પાણી આવે પણ તે ખાડામાં મીઠું પાણી જોવા મળે છે. લોકોનુ કહેવું છે કે એ ગંગાજળ છે જેથી પણ આનુ નામ ગંગેશ્વર પડયુ હોવાની માન્‍યતા છે. આ પાંચેય શિવલિંગને રોજ સમુદ્ર પોતે અભિષેક કરે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્‍તોની ભીડ જોવા મળે છે અને શિવલિંગને સમુદ્રનો અભિષેક સૌ કોઈ પોતાના મોબાઈલમાં કેદ કરતા નજરે પડે છે. ગંગેશ્વર મહાદેવનુ મંદિર સમુદ્ર કિનારે હોવાથી તે ખુબ આકર્ષક લાગે છે. અહી દેશ-વિદેશના પર્યટકો જોવા મળે છે. જેવો દર્શનના લાભની સાથે ફોટોગ્રાફી અને સેલ્‍ફીની પણ મજા માણતા હોય છે. અહી ઘણા રાજનેતાઓપણ દર્શનાર્થે આવી ચુકયા છે. ભુતપૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટિલ, રામનાથ કોવિદ તથા બીજા પણ અનેક નેતાઓ દીવ મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્‍યા હતા. પૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટિલે બીજી મુલાકાતમાં ગંગેશ્વર મહાદેવ ખાતે મહાપુજાનુ આયોજન કર્યું હતું. કહેવાય છે કે એમની કોઈ મનોકામના પૂર્ણ થવાથી આ મહાપુજાનુ આયોજન થયુ હતુ. ઘણા લોકોનુ કહેવું છે કે ગંગેશ્વર મંદિરનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ છે. આ મંદિરમાં વાર-ત્‍યોહાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગંગેશ્વર મહાદેવનો ઈતિહાસ લખેલો જોવા મળે છે, ગંગેશ્વર મહાદેવ એ દીવનું પૌરાણિક મંદિર છે.

Related posts

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

vartmanpravah

વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્‍કૂલમાં વિદ્યાર્થી સન્‍માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

Leave a Comment