December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ગંગેશ્વર મહાદેવ ને ખુદ સમુદ્ર અભિષેક કરે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: દીવમાં સ્‍થિત ગંગેશ્વર મહાદેવ મંદિરની પાંચ લિંગની રચના પાંચ પાંડવ દ્વારા કરવામાં આવી છે જેનો ખુદ સમુદ્ર અભિષેક કરે છે જે દ્રશ્‍ય ખુબ જ અદભુત જોવા મળે છે.
શ્રાવણ માસ દરમિયાન લોકો મહાદેવની આરાધના કરતા હોય છે. દીવમાં પણ ગંગેશ્વર મહાદેવનુ મંદિર પ્રખ્‍યાત છેજે દીવના ફુદમ ગામે આવેલુ ખૂબ જ પ્રાચીન મંદિર છે. તો ચાલો જાણીએ ગંગેશ્વર મહાદેવ વિશે. ગંગેશ્વર મહાદેવનુ મંદિર પાંચ હજાર વર્ષ થી પણ વધુ જુનુ છે જેની રચના પાંડવો દ્વારા કરવામાં આવી હતી પાંચ પાંડવો વનવાસ દરમિયાન દીવ પણ આવી પહોંચ્‍યા હોવા ની લોક વાયકા છે તેઓ મહાદેવ ની પુજા કર્યા વગર ભોજન ગ્રહણ કરતા નહી તેથી અહી સ્‍થિત પાંચ શિવ લિંગ ની સ્‍થાપના પાંચ પાંડવો એ તેમના કદ અનુસાર કરી હતી અને પુજા કરી ભોજન કર્યું હતુ ત્‍યાર થી અહી આ પાંચ પાંડવ રચીત શિવલિંગ પુજાય છે. આ પાંચેય શિવલિંગ નજીક એક પાણીનો ખાડો હતો. કહેવાય છે કે દરીયાનુ ગમે તેટલું પાણી આવે પણ તે ખાડામાં મીઠું પાણી જોવા મળે છે. લોકોનુ કહેવું છે કે એ ગંગાજળ છે જેથી પણ આનુ નામ ગંગેશ્વર પડયુ હોવાની માન્‍યતા છે. આ પાંચેય શિવલિંગને રોજ સમુદ્ર પોતે અભિષેક કરે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્‍તોની ભીડ જોવા મળે છે અને શિવલિંગને સમુદ્રનો અભિષેક સૌ કોઈ પોતાના મોબાઈલમાં કેદ કરતા નજરે પડે છે. ગંગેશ્વર મહાદેવનુ મંદિર સમુદ્ર કિનારે હોવાથી તે ખુબ આકર્ષક લાગે છે. અહી દેશ-વિદેશના પર્યટકો જોવા મળે છે. જેવો દર્શનના લાભની સાથે ફોટોગ્રાફી અને સેલ્‍ફીની પણ મજા માણતા હોય છે. અહી ઘણા રાજનેતાઓપણ દર્શનાર્થે આવી ચુકયા છે. ભુતપૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટિલ, રામનાથ કોવિદ તથા બીજા પણ અનેક નેતાઓ દીવ મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્‍યા હતા. પૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટિલે બીજી મુલાકાતમાં ગંગેશ્વર મહાદેવ ખાતે મહાપુજાનુ આયોજન કર્યું હતું. કહેવાય છે કે એમની કોઈ મનોકામના પૂર્ણ થવાથી આ મહાપુજાનુ આયોજન થયુ હતુ. ઘણા લોકોનુ કહેવું છે કે ગંગેશ્વર મંદિરનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ છે. આ મંદિરમાં વાર-ત્‍યોહાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગંગેશ્વર મહાદેવનો ઈતિહાસ લખેલો જોવા મળે છે, ગંગેશ્વર મહાદેવ એ દીવનું પૌરાણિક મંદિર છે.

Related posts

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

vartmanpravah

ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં નિયમોને નેવે મૂકી આપેલી બીયુપી સામે થનારી ઉચ્‍ચ સ્‍તરીય રજૂઆત

vartmanpravah

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

vartmanpravah

Leave a Comment