December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાનહ ભાજપ એસસી મોર્ચા (ગ્રામીણ)નાં ઉપાધ્‍યક્ષ શ્રી ગુલાબભાઈ રોહિતે દાદરા નગર હવેલીનાં યુવાનોને ‘અગ્નિવીર’ બની રાષ્ટ્રસેવા સાથે પોતાનો ભવિષ્‍ય ઉજળા બનાવાની હાકલ કરી છે. ભાજપ એસ.સી.મોર્ચાના પ્રમુખ(ગ્રામીણ) શ્રી ગુલાબ રોહિતે કહ્યું કે ભારતીય સેનાઓમાં ‘અગ્નિવીર'(જીડી), ટેક્‍નિકલ, કલાર્ક/સ્‍ટોરકીપર, ટ્રેડ્‍સમેન વગેરેમાં ભર્તી પ્રક્રિયા ચાલું છે. જેમાં સાડા સતર(17.5) થી 23 વર્ષનાં ડોમિસાઇલધારકો ધોરણ 8 થી12મું સુધી ભણેલા સ્‍થાનિક યુવાનો જરૂરી ટેકનિકલ તાલીમનાં દસ્‍તાવેજો સાથે દાનહનાં દરેક ગ્રામ પંચાયતોમાં તા.29 અગસ્‍ત તથા સેલવાસ નગરપાલિકા ક્ષેત્રે 26 અને 28 આગસ્‍ટે યોજનાર ખાસ શિબિરમાં જઈને પોતાનો આવેદનપત્ર રજૂ કરી શકે છે. ‘અગ્નિવીર’ તરીકે તમે ભારતની ત્રણેય સેનાઓમાં સેવા આપી નિવૃત્ત થયા પછી સરકારી અને ગેરસરકારી સંસ્‍થાઓમાં સારી નોકરી કરવાની તકો છે. તેથી દાનહનાં યુવાનો શિક્ષણ, બિઝનેસ, ઉદ્યોગ, કારોબાર, એડવોકેટ, કૃષિ, સ્‍પોર્ટસ સહિતનાં ક્ષેત્રે સારૂં પ્રદર્શન કરી પ્રદેશનું ગૌરવ વધારી રહ્યા છે. હવે દાનહનાં યુવાનોને ભારતીય સેનાઓમાં ‘અગ્નિવીર’ તરીકે દાદરા નગર હવેલીનો ડંકો વગાડવો જોઈએ.

Related posts

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કાઉન્‍સિલની પ્રથમ બેઠકમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ સુંદર અને રળિયામણું બનાવવા વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

vartmanpravah

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

વલસાડમાં ભીખ માંગવા બાળકોને લઈ આવેલી છ મહિલાઓ સિફતથી ઘરમાં ઘુસી 3 લાખના ઘરેણાં ચોરી ગઈ

vartmanpravah

Leave a Comment