Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

આરબીઆઈ દ્વારા લાયસન્‍સ મળ્‍યા બાદ દાદરા નગર હવેલીમાં પણ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની નવી શાખા ખોલવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની એક માત્ર સહકારી બેંક દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક પાસેથી રૂા.8.68 કરોડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે.
અત્રે યાદ રહે કે, દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું ગોવાસ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડથી 01 એપ્રિલ, 2017ના રોજ વિભાજન કરવામાં આવ્‍યું હતું. ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું વિભાજન થયા બાદ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના સંચાલન માટે એક ગવર્નિંગ બોડીની રચના કરવામાં આવી હતી. તેમના જણાવ્‍યા પ્રમાણે તે સમયે બેંક ઘણી જ ખોટમાં ચાલી રહી હતી. ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી ગવર્નિંગ બોડીના વહીવટ હેઠળ રહેવા છતાં પણ 3 જૂન, 2020ના રોજ કો-ઓપરેટિવ બેંકમાં વહીવટદારની નિયુક્‍તિ સુધી ચૂકવણી શેર મૂડી માત્ર 7.54 કરોડ હતી અને બેંકનો નોન પરફોર્મિંગ એસેટ્‍સ(એન.પી.એ.) 38 કરોડથી પણ વધુ હતો તથા બેંકના સભ્‍યોની સંખ્‍યા 8018 હતી. જેથી બેંકની વહીવટી અસમર્થતાના કારણે ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા બેંકોના વિભાજન થવા સમયે દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.નું બાકી લેણું પૂર્ણ રૂપથી સ્‍વીકારાયું નહીં હતું અને મંજૂર રકમની ચૂકવણીમાં પણ વિલંબ કરવામાં આવી રહ્યો હતો. એવી સ્‍થિતિમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં પ્રશાસન દ્વારા બેંકના થાપણદારો અને શેર હોલ્‍ડરોની નાણાંની રકમ અને હિતોને સુરક્ષિત રાખવા માટે બેંકની ગવર્નિંગ બોડીને તાત્‍કાલિક પ્રભાવથી બર્ખાસ્‍તકરવામાં આવી હતી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બેંકમાં બેંકના વહીવટદારની નિયુક્‍તિ કરી અને બેંકને સંઘપ્રદેશ પ્રશાસન હસ્‍તક લઈ લીધી હતી.
સંઘપ્રદેશ પ્રશાસન હસ્‍તક લીધા બાદ બેંકના વહીવટદાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડની સાથે વિવિધ બેઠકો દ્વારા ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.થી વિભાજીત થયા સમયની બાકી રકમનો હિસ્‍સો મેળવવા પ્રયાસ કરવામાં આવ્‍યા. જેના પરિણામસ્‍વરૂપ દમ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.ના હિસ્‍સાની રકમ ઝડપથી મળવાની શરૂ થઈ. ઝીણવટથી હિસાબ-કિતાબ કરવાના કારણે ખબર પડી કે ગોવા બેંક ઉપર 76 કરોડ(વ્‍યાજ સહિત)થી વધુની રકમ બાકી છે.
અત્રે યાદ રહે કે, વહીવટીતંત્રમાં સુધારો કરવામાં નહીં આવ્‍યો હોત તો દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના શેરહોલ્‍ડરો અને થાપણદારોને આ રકમ કદાચ ક્‍યારેય નહીં મળી શકી હોત.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના વહીવટીદારના અથાક પ્રયાસોના કારણે બેંક દ્વારા પોતાના હિસ્‍સાના 446.21 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. જેમાં 8.68 કરોડ રૂપિયા 05 ડિસેમ્‍બર, 2023ના રોજ પ્રાપ્ત થયા છે.
અત્રે નોંધનીય છે કે, બેંકના વહીવટદારની નિયુક્‍તિ કર્યા બાદ બેંક લગાતાર નફો રળી રહી છે. જે મુજબ વર્ષ2022-2023ના નાણાંકિય વર્ષમાં બેંક દ્વારા 9.45 કરોડનો લાભ મેળવ્‍યો છે. જેમાં બેંકના શેરધારકોની સંખ્‍યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેની સંખ્‍યા 31 માર્ચ, 2023ના રોજ 9339 થવા પામી છે. બેંકનો લોન બિઝનેશ અને ડિપોઝિટમાં પણ ઘણો વધારો જોવા મળ્‍યો છે અને બેંકના એન.પી.એ.માં ઘણો ઘટાડો થઈ રહ્યો છે. બેંકની ચૂકવણી મૂડી શેરમાં પણ વધારો થયો છે જે પાછલા નાણાંકિય વર્ષમાં 20.30 કરોડ થયો છે અને એન.પી.એ. ઘટીને 8.47 કરોડ રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં બેંક દરરોજ પ્રગતિ તરફ અગ્રેસર છે. લાયસન્‍સની પ્રક્રિયામાં પણ તેના અંતિમ ચરણમાં છે. ત્‍યારબાદ વહેલી તકે દાદરા નગર હવેલી જિલ્લામાં પણ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની નવી શાખા ખોલવામાં આવશે. બેંકના ગ્રાહકોને હજુ ઘણી વધુ સારી સેવાઓ ઉપલબ્‍ધ કરાવવા માટે ડિજિટલ બેંકિંગની શરૂઆત કરવામાં આવશે. જેનાથી ગ્રાહકો નેટ બેંકિંગ અને યુપીઆઈના માધ્‍યમથી તેમની લેવડ-દેવડ સરળતાથી કરી શકશે.

Related posts

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્‍યાખ્‍યાન માળા અંતર્ગત વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : મંગળવારે 189 પોઝિટીવ કેસ નોંધાયા : 1નું મૃત્‍યુઃ39 સાજા થયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

Leave a Comment