(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10
હેલીકૉપ્ટર ક્રેસ દુર્ઘટનામાં દેશના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવતજી અને એમની પત્ની શ્રીમતી મધુલિકા રાવત સહિત 11 અન્ય સૈન્ય અધિકારીઓનું તમિલનાડુમાં આકસ્મિક નિધન થયું હતું. જેના કારણે આખો દેશ સ્તબ્ધ અને શોકાતૂર છે. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ યુવા મોરચા દ્વારા ઝંડાચોક સેલવાસ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના લોકો અને વિવિધ સંસ્થાના સભ્યોએ પણ ઉપસ્થિત રહી બે મિનિટનું મૌન પાળી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ‘ભારતમાતા કી જય’ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.