March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26: ગત તા.24-08-2022 ના રોજ ગુજરાતી અર્વાચીન સાહિત્‍યના આદ્યકવિ નર્મદની જન્‍મજયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓએ નર્મદનો જીવન પરિચય તેમજ તેના સાહિત્‍ય સર્જનમાંથી કેટલીક કૃતિઓ અંકે સુંદર રજૂઆત કરી હતી. આ ઉપરાંત વિશ્વ ગુજરાતી ભાષા દિવસને અનુલક્ષીને વિદ્યાર્થીઓએ ગુજરાતી કવિઓની ઉત્તમ કવિતાઓ, લોકગીતો, ગઝલ વગેરેનું ગાન કરી કાર્યક્રમને સુંદર બનાવ્‍યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્‍યક્ષા ડો.સુશિલા વાઘમસી તેમજ અધ્‍યાપક ધરવ બારોટે કર્યું હતું. કાર્યક્રમની ભુમિકા તેમજ આભારવિધિ ડો.સુશિલા વાઘમસીએ કરી હતી. આ ઉપરાંત સમાજશાષા વિભાગના અધ્‍યક્ષા પ્રા.કોકિલાબેન ડાભીએ કાર્યક્રમના અંતેવિદ્યાર્થીઓને સમગ્ર કોલેજ તરફથી નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના કો-ઓર્ડિનેટર ડો.હર્ષદભાઈ ચૌહાણએ પરોક્ષ રીતે સહકાર આપી આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે યોગદાન આપ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

કપરાડાના કાકડકોપર ખાતે રાષ્‍ટ્રીય પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment