October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: જમ્‍મુ કાશ્‍મીરની અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી લક્‍ઝરી બસ મારફતે 42 શ્રધ્‍ધાળંઓ મુસ્‍લિમ સારથી સાથે રવાના થયા છે. બાબા અમરનાથના દર્શન જવા ભક્‍તોમાં ભારે ઉત્‍સાહ વર્તાયોછે.
જમ્‍મુ કાશ્‍મીરમાં આવેલા બાબા બરફાની એટલે કે બાબા અમરનાથના દર્શન થઈ જાય તો જીવન ધન્‍ય બની જાય એવું કહેવાય છે. ખૂબ જ કઠિન ગણાતી આ યાત્રા હમણાં જ શરૂ થાય છે. આ યાત્રા માટે અનેક વિધિમાંથી પસાર થવું પડે છે. શુક્રવારની રાત્રે વલસાડ અબ્રામા સ્‍થિત એસટી વર્કશોપની સામેથી કિર્તીબેન પટેલ દ્વારા લક્‍ઝરી બસ મારફતે ભક્‍તોને યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ અવસરે વલસાડના શિવજી મહારાજ દ્વારા સૌને આશીર્વાદ આપી બાબા અમરનાથની યાત્રા હેમખેમ પસાર થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી. છેલ્લા 23 વર્ષથી હિન્‍દુ શ્રદ્ધાળુઓને બાબા અમરનાથના દર્શને લઈ જતા વલસાડનાં મુસ્‍લિમ ડ્રાઇવર અફરોઝ શેખે જણાવ્‍યું હતું કે, અંબાજી રાજસ્‍થાન થઈ અમે જમ્‍મુ કાશ્‍મીર પહોંચીશું. અને લગભગ પાંચમી તારીખે અમે બાબા અમરનાથના દર્શન કરીશું.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

રાષ્‍ટ્રીય આપદા વ્‍યવસ્‍થાપન, નવી દિલ્‍હીના સહયોગથી દાનહ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર’ યોજના અંતર્ગત સ્‍વયંસેવકોને બે દિવસની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

Leave a Comment