March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના કાકડકોપર ખાતે રાષ્‍ટ્રીય પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: કપરાડા તાલુકાના કાકડકોપર ખાતે સાતમાં ‘‘રાષ્‍ટ્રીય પોષણ માસ-2024” અંતર્ગત આઈ.સી.ડી.એસ. કપરાડા ઘટક-02 ના મોટાપોંઢા સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા લોકજાગૃતિ માટે જન આંદોલનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહેમાનો દ્વારા આંગણવાડી કક્ષાએ અને ગ્રામ્‍ય કક્ષાએ ઘરે ઘરે સુધી કરવામાં આવતી કામગીરીને બિરદાવી પ્રોત્‍સાહન પુરુ પાડવામાં હતું. સીડીપીઓએ ગામ લોકોને આંગણવાડી કેન્‍દ્રની મુલાકાત લઈ નિયમિત લાભ લેવા, સહભાગી થવા અને પોષણની સ્‍થિતિ અંગે માહિતગાર રહેવા અપીલ કરી હતી.
પોષણ માસની ઉજવણીમાં મોટાપોંઢા ગામના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણની પાંચ થીમ ‘‘એનેમીયા નિવારણ, ગ્રોથ મોનીટરીંગ, પૂરક પોષણ, પોષણ ભી પઢાઇ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી” વગેરે અંગે તૈયાર કરેલ પોસ્‍ટર દ્વારા પ્રદર્શન કરી સમજ આપવામાં આવી હતી. લાભાર્થીઓને દાતાઓ તરફથી મળેલ ગોળ, ખજુર, શીંગદાણા અને મગની પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ભંડારકચ્‍છ-1 અને ઓઝર-1 કેન્‍દ્રના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારાપોષણનું ગીત રજુ કરી આઇસીડીએસની તમામ સેવાઓનો લાભ લેવા માટે લાભાર્થીને જાગૃત કરવામાં આવ્‍યા હતા. કાર્યકર બહેનો દ્વારા પરંપરાગત રીતે બનતી અને વિસરાતી જતી વાનગીઓ, ટીએચઆર અને મિલેટ્‍સમાંથી બનતી વાનગીઓનું નિદર્શન યોજવામાં આવ્‍યું હતું. રંગોળી દ્વારા જંકફુડથી દુર રહી હેલ્‍ધી ફુડના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુત્રસંચાલન મોટાપોંઢા-04 ના આંગણવાડી કાર્યકર બહેન અને સેજા સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય પોષણ માસની તમામ ઉજવણી અને સફળ સંચાલન આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઑફિસરના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ કપરાડા ઘટક-2 ની ટીમ, બીએનએમ અને પા પા પગલી ઇન્‍સ્‍ટ્રક્‍ટર દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યકમમાં કાકડકોપર ગામના સરપંચ, માજી સરપંચ, તલાટી કમ મંત્રી અને કપરાડા ઘટક-2 ના સીડીપીઓ હાજર રહ્યા હતા.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાલક-બાલિકા સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દારૂની હેરાફેરી કરાવનાર કાર માલિકને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

Leave a Comment