April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.29: ઉમરગામ તાલુકાના દેહરી પંચાયતના સરપંચ શ્રી ધનેશભાઈ અને ઉપસરપંચ શ્રી ઉમેશભાઈ સોલંકીની ટીમ દ્વારા દેહરીવાસીઓના હીતને ધ્‍યાનમાં રાખી સ્‍વભંડોળમાંથી રૂપિયા 15 લાખના ખર્ચે એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે અને ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ. પ્‍લાન્‍ટ વિકસાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.
આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયસિંહ રાજપુતે દેહરી પંચાયતને આરોગ્‍યલક્ષી સુવિધા ઉપલબ્‍ધ કરાવવા લેવામાં આવેલા નિર્ણયની પ્રશંસા કરીહતી. આ ઉપરાંત ધારાસભ્‍ય રમણભાઈ પાટકર દેહરી પંચાયતના અદ્યતન મકાનની કામગીરીમાં પણ પૂરેપૂરો સહયોગ આપવાની બાહેંધરી આપવા સાથે અત્‍યંત જરૂરી હોય એવા બાકી રહેલા વિકાસના કામોને પણ તાત્‍કાલિક પૂર્ણ કરવા ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ભાજપા સંગઠનના તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના દંડક શ્રી દિપકભાઈ મિષાી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, તાલુકા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયભાઈ રાજપુત, તાલુકા પંચાયતના સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ અને દેહરી ગામના આગેવાન શ્રી દિનેશભાઈ માહ્યાવંશી, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ તાલુકા આરોગ્‍ય અધિકારી શ્રી રૂપેશભાઈ ગોહિલ, તેમજ દેહરી પંચાયતના તમામ સભ્‍યો, આગેવાનો અને ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

vartmanpravah

વલસાડ હોટલ એસોસિએશન દ્વારા સીટી પોલીસમાં મહત્‍વની મીટીંગ યોજાઈઃ રાત્રે 11 વાગ્‍યા સુધી હોટેલ ચાલુ રાખવા માંગ

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

Leave a Comment