October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.29: ઉમરગામ તાલુકાના દેહરી પંચાયતના સરપંચ શ્રી ધનેશભાઈ અને ઉપસરપંચ શ્રી ઉમેશભાઈ સોલંકીની ટીમ દ્વારા દેહરીવાસીઓના હીતને ધ્‍યાનમાં રાખી સ્‍વભંડોળમાંથી રૂપિયા 15 લાખના ખર્ચે એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે અને ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ. પ્‍લાન્‍ટ વિકસાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.
આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયસિંહ રાજપુતે દેહરી પંચાયતને આરોગ્‍યલક્ષી સુવિધા ઉપલબ્‍ધ કરાવવા લેવામાં આવેલા નિર્ણયની પ્રશંસા કરીહતી. આ ઉપરાંત ધારાસભ્‍ય રમણભાઈ પાટકર દેહરી પંચાયતના અદ્યતન મકાનની કામગીરીમાં પણ પૂરેપૂરો સહયોગ આપવાની બાહેંધરી આપવા સાથે અત્‍યંત જરૂરી હોય એવા બાકી રહેલા વિકાસના કામોને પણ તાત્‍કાલિક પૂર્ણ કરવા ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ભાજપા સંગઠનના તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના દંડક શ્રી દિપકભાઈ મિષાી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, તાલુકા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયભાઈ રાજપુત, તાલુકા પંચાયતના સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ અને દેહરી ગામના આગેવાન શ્રી દિનેશભાઈ માહ્યાવંશી, યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ તાલુકા આરોગ્‍ય અધિકારી શ્રી રૂપેશભાઈ ગોહિલ, તેમજ દેહરી પંચાયતના તમામ સભ્‍યો, આગેવાનો અને ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.

Related posts

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

વાપીમાં ગણેશ આયોજકોનું કલેક્‍ટર દ્વારા સન્‍માન કરાયું: પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫૧,૪૩૩ ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપશે: પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં બેઠક મળી: પરીક્ષાર્થીઓ માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન શરૂ કરાઇ

vartmanpravah

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

vartmanpravah

Leave a Comment