October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડના ગેમઝોનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ

ગેમઝોનમાં અનેક ક્ષતિઓ બહાર આવી : તાત્‍કાલિક અસરથી
બંધ કરવાની સુચના અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ગુજરાતને હચમચાવી નાખતી ઘટના રાજકોટના ટી.આર.પી. ગેમ ઝોનમાં શનિવારે ઘટી હતી. ગેમઝોનમાં અચાનક ભિષણ આગ લાગતા 25 લોકો બળીને ભડથુ થઈ ગયા હતા. જેમાં માસુમ ભુલકાઓ પણ હતા. ઘટનાએ સમગ્ર રાજ્‍યમાં આઘાત પહોંચાડયોહતો. ઘટના બાદ સફાળી જાગેલી રાજ્‍ય સરકારે તાત્‍કાલિક ઓર્ડર આપ્‍યો હતો કે ગુજરાત ભરના ગેમ ઝોનોની આકરી તપાસ કરો અને કસુરવાર ઠરેલા જણાય તો આકરી કાર્યવાહી કરી. રાજ્‍ય સરકારના આદેશ બાદ વલસાડ પાલિકાએ આજે શહેરમાં ચાલી રહેલ ગેમઝોનની તપાસ હાથ ધરી હતી.
વલસાડમાં પણ ગેમઝોન ચાલી રહ્યા છે તે અંતર્ગત પાલિકાની ટીમે હાથ ધરેલી તપાસ કાર્યવાહીમાં ઘણી લાલીયાવાડી-ચોંકાવનારી ક્ષતિઓ બહાર આવી હતી. મોટાભાગના ગેમઝોનમાં અગ્નિ માટેના સાધનોનો રાખરખાવ જોવા મળ્‍યો નહોતો તેમજ દુર્ઘટના કે ઈમરજન્‍સીમાં બહાર નિકળવાની એક્‍ઝિટ જોવા મળી નહોતી તેથી તપાસ કરાયેલ તમામ ગેમઝોનને તાત્‍કાલિક અસરથી બંધ કરવાની પાલિકા અધિકારીઓએ આદેશ આપી દીધા છે. જો કે સુરતનો તક્ષશિલા કાંડ કે અમદાવાદની હોસ્‍પિટલ અગ્નિ કાંડ હોય તમામ બનાવો બાદ પણ જાહેર સ્‍થળોએ ચોક્કસ ગાઈડલાઈનનું પાલિન કરવા મળ્‍યું નથી. આ તો એવો કહી શકાય કે ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોનમાં ઘટેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગી. અત્‍યાર સુધી ધ્‍યાન જ ન આપ્‍યું. ભૂતકાળના બનાવો બાદ પણ પ્રશાસને બોધપાઠ લીધા હોત તો રાજકોટનો બનાવ ન ઘટયો હોત. વલસાડમાં તો તપાસ શરૂ કરાઈ છે. વાપીમાં પણ એવા ગેમઝોનમાંતપાસ થવી જરૂરી છે.
વલસાડ ગેમઝોન ચેકિંગ કાર્યવાહીમાં પાલિકા સહિત પોલીસ મામલતદાર સહિતના અધિકારી જોડાયા હતા.

Related posts

ખેલ મહાકુંભ 2.0માં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન કરાવી લેવું

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

વલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત જોવા મળી

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

પદ, પ્રતિષ્ઠા, પાવર કે પૈસા સિવાય પણ મનુષ્યની અંદર વસતા ભગવાનના કારણે જ માનવનું ગૌરવ છે, તેજ ખરૂં મનુષ્ય ગૌરવ છેઃ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

vartmanpravah

Leave a Comment