April 29, 2024
Vartman Pravah
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડ

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

પડતર માંગો અંગે તાત્‍કાલિક નિર્ણય નહિ લેવાય તો 1પમી સપ્‍ટેમ્‍બરથી પુનઃ ગાંધી ચિંધ્‍યા માર્ગે આક્રમક આંદોલન કરવાની ચિમકી ઉચ્‍ચારાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ક્ષય વિભાગના જિલ્લાના કર્મચારીઓ દ્વારા ગુજરાત આરએનટીસીપી કરારબધ્‍ધ કર્મચારી સંઘના પ્રમુખ શ્રી હેમાંશુ પંડયાના નેજા હેઠળ સરકારની આંદોલન નિવારણ સમિતિ સમક્ષકરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે, 11 એપ્રિલના રોજ આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને એનએચએમના ડાયરેકટર રેમ્‍યા મોહનની રૂબરૂ મુલાકાત કરતા તેઓએ પડતર માંગોના યોગ્‍ય ઉકેલ માટે મૌખિક ખાત્રી આપી હતી અને તેથી ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીઓએ 24-માર્ચથી શરૂ કરેલ આંદોલન સ્‍થગિત કરેલ હતું, પરંતુ ત્રણ માસ કરતા વધુ સમય વિતી જવા છતાં પડતર માંગો અંગે યોગ્‍ય ઉકેલ ન આવતા ક્ષય વિભાગના કરારી કર્મચારીઓમાં રોષ અને અવિશ્વાસની લાગણી ઉભી થવા પામી છે.
ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીઓની પગાર વધારો, ટીબીએચવીને પેટ્રોલ એલાઉન્‍સ ઈન સર્વિસ મૃત્‍યુ સહાયમાં વધારો, કમ્‍પેન્‍સેશન સહિતની પડતર માંગણીઓનો અંગે તત્‍કાલ નિર્ણય નહિ લેવાય તો 15-09-2022થી પુનઃ ગાંધી ચિંધ્‍યા રાહે આક્રમક આંદોલન કરવામાં આવશે. જેમાં થનાર જાહેર આરોગ્‍ય અને દર્દીના હિતને થનાર નુકસાનીની જવાબદારી ઉપરોક્‍ત સર્વ અધિકારી પદાધિકારીઓની રહેશે તેમ જણાવ્‍યું હતું.

Related posts

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

તા.30મીએ નેશનલ પ્રોગ્રામ ઓન કલાઇમેટ ચેન્‍જ એન્‍ડ હ્યુમન હેલ્‍થની બેઠક મળશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીએ 15 જુલાઈ સુધીમાં હયાતીનું વેરીફીકેશન કરાવી લેવું

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ: વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવનું રાજીનામું

vartmanpravah

Leave a Comment