March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

મંજૂરી લીધા વગર યોજેલ કાર્યક્રમ સામે પોલીસે કાર્યવાહી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ઈ.ડી.એ કોંગ્રેસના રાષ્‍ટ્રિય પ્રમુખ સોનિયા ગાંધીને અમદાવાદ હાજર રહેવાની નોટિસ પાઠવવામાં આવતાની સાથે ગુજરાતમાં આજે શુક્રવારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્‍યા હતા તે અંતર્ગત વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કાર્યાલય વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ પોલીસે પ્રદર્શન અટકાવી કાર્યકરોને ડિટેઈન કર્યા હતા.
કોંગ્રેસના રાષ્‍ટ્રિય પ્રમુખ સોનિયા ગાંધીને અમદાવાદ ઈ.ડી. દ્વારા હાજર થવાનું ફરમાન કરવામાં આવેલ છે તેનો વિરોધ રાજ્‍ય સહિત દેશભરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ અને યુવા કોંગ્રેસના કાર્યકરો, સિનિયર નેતાઓ મધ્‍યસ્‍થકાર્યાલય ઉપર ઉપસ્‍થિત રહી આક્રમક પ્રદર્શન કર્યું હતું. પ્રમુખ દિનેશભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે, સોનિયા અને રાહુલ ગાંધી ઈ.ડી.માં પૂછપરછ કરવા બોલાવી ભાજપ કોંગ્રેસને ડરાવી રહી છે પરંતુ કોંગ્રેસ ડરે તેમ નથી. સ્‍ટેડીયમ રોડ ઉપર આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ કિશન પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ સહિત ગણ્‍યા ગાંઠયા કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. પોલીસે કાર્યક્રમની જરૂરી પરવાનગી નહી લીધી હોવાથી કાર્યકરોની અટક કરી હતી.

Related posts

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અને લીગલ સર્વિસીસ કમિટી દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 45 યુનિટ એકત્ર થયું

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment