Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

માજી સૈનિક આંદોલન ગાંધીનગરમાં યોજાયેલ ત્‍યારે કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનથી મૃત્‍યુ થયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગુજરાત રાજ્‍યની સામાન્‍ય ચૂંટણી જેટલી ઢુકડી આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો અનેક ચુંથાઈ ગયેલ પડતર મુદ્દા અને માંગણીઓ સાથે પ્રજા વચ્‍ચે લાઈમલાઈટમાં રહેવા માટે મથામણ કરી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીએ પણ એન્‍ટ્રી મારી દીધી છે. આજે વલસાડમાં આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં થયેલ સૈનિક આંદોલન વખતે માજી સૈનિકનું નિધન થયું હતું તે સંદર્ભે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી મૃતક માજી સૈનિક પરિવારને એક કરોડની સન્‍માન રાસી ચૂકવવાની માંગણી કરી હતી.
છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો પડતર માંગણીઓ માટેઆંદોલન કરી રહ્યા હતા. ગતરોજ ગાંધીનગરમાં આંદોલન દરમિયાન પૂર્વ સૈનિક કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનમાં મૃત્‍યુ થયું હતું. જેને લઈ આજે બુધવારે આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને આવેદન પાઠવી માજી સૈનિકોની માંગણી સ્‍વિકારવા તેમજ કાનજીભાઈના પરિવારને રૂા.1 કરોડની સન્‍માન રાસી ચુકવવામાં આવે તેવી માંગણી ઉપસ્‍થિત રહેલા જિલ્લા હોદ્દેદારો અને કાર્યકર્તાએ કરી હતી.

Related posts

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment