June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ન.પા.પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં સેલવાસ વિસ્‍તારમાં ડેન્‍ગ્‍યુ બીમારીને ફેલાતી રોકવા માટે અલગ અલગ વિસ્‍તારમાં સવારે અને સાંજે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. સેલવાસ પાલિકા દ્વારા 6 સપ્‍ટેમ્‍બરથી 13 સપ્‍ટેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમ્‍યાન પાલિકાના ધ્‍યાનમાં આવ્‍યું કે સોસાયટીઓ અને દુકાનદારો દ્વારા એમની સોસાયટી અને દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને મેલેરિયા, ડેન્‍ગ્‍યુ જેવી બીમારીઓ ફેલાઈ છે. પાલિકા દ્વારા શહેરીજનોને નિવેદન કર્યું છે કે પોતાની સોસાયટીઓમાં અને દુકાનો તથા આજુબાજુમાં કચરો ન ફેંકે અને પાણી જમા થવા ન દે, અન્‍યથા પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

વાપી સહિત ત્રણ રાજ્‍યોમાં 19 ચોરી કરેલ લક્‍ઝરીયસ જીવન જીવતા સાતીર ચોરને એલસીબીએ દબોચી લીધો

vartmanpravah

મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

Leave a Comment