February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ન.પા.પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં સેલવાસ વિસ્‍તારમાં ડેન્‍ગ્‍યુ બીમારીને ફેલાતી રોકવા માટે અલગ અલગ વિસ્‍તારમાં સવારે અને સાંજે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. સેલવાસ પાલિકા દ્વારા 6 સપ્‍ટેમ્‍બરથી 13 સપ્‍ટેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમ્‍યાન પાલિકાના ધ્‍યાનમાં આવ્‍યું કે સોસાયટીઓ અને દુકાનદારો દ્વારા એમની સોસાયટી અને દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને મેલેરિયા, ડેન્‍ગ્‍યુ જેવી બીમારીઓ ફેલાઈ છે. પાલિકા દ્વારા શહેરીજનોને નિવેદન કર્યું છે કે પોતાની સોસાયટીઓમાં અને દુકાનો તથા આજુબાજુમાં કચરો ન ફેંકે અને પાણી જમા થવા ન દે, અન્‍યથા પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

vartmanpravah

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

vartmanpravah

Leave a Comment