October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

  • સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ અને બાંધકામને દૂર કરવા સંઘપ્રદેશ પ્રશાસનને મળેલી સફળતા

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અત્‍યાર સુધી ભીમપોર, કચીગામ, દાભેલ સહિત અન્‍ય ગામોની 22 કિ.મી. જેટલી સરકારી જમીનો અને નહેર ઉપર કરાયેલા અતિક્રમણો મુક્‍ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: દમણ જિલ્લા પ્રશાસને આજે ભીમપોર ખાતે એક કિલોમીટર જેટલી લાંબી નહેર ઉપર ગેરકાયદે રીતે કરેલા બાંધકામને હટાવવાની કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લા પ્રશાસનના રેવન્‍યુ અને પીડબ્‍લ્‍યુડી વિભાગના સંયુક્‍ત ડિમોલીશન અભિયાનની ભીમપોર ખાતે કાર્યરત વિન્‍ડવર્લ્‍ડ કંપની અને આજુબાજુના અન્‍ય ખાનગી વ્‍યક્‍તિઓ દ્વારા સરકારી જમીનો ઉપર પોતાના પરિસરની દિવાલ તથા ગોદામ અને ચાલના કરેલા બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્‍યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામ હટાવવા શરૂ કરાયેલા અભિયાનમાં કચીગામ, ભીમપોર, દાભેલ સહિત અન્‍ય ગામની લગભગ 22 કિલોમીટર જેટલી સરકારી જમીનો અને નહેર ઉપર કરાયેલાઅતિક્રમણોને મુક્‍ત કરાયા છે.
દમણ જિલ્લા પ્રશાસને તમામ નાગરિકોને આ અખબારી યાદી દ્વારા સુચના આપી છે કે, જો કોઈ વ્‍યક્‍તિ કે કંપની દ્વારા સરકારી જમીન અથવા નહેર ઉપર કોઈ અતિક્રમણ કરાયું હોય તો તે સ્‍વયં તાત્‍કાલિક દૂર કરે નહીં તો પ્રશાસન દ્વારા અતિક્રમણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ અને બાંધકામને દૂર કરવા સંઘપ્રદેશ પ્રશાસન સફળ રહ્યું છે.

Related posts

પારડી નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ : વિવિધ સ્‍કૂલોના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી અને સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનિટીના સંયુક્‍ત ઉપક્રમે ‘ટેકનિકલ સ્ટાર્ટઅપ ટોક્સ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

vartmanpravah

તા.14 સપ્‍ટેમ્‍બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન

vartmanpravah

Leave a Comment