Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

  • ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ મોતની ઘટનાના પડી રહેલા ઘેરા પ્રત્‍યાઘાત

  • આદિવાસી વિકાસ પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાત પડી રહ્યા છે અને ટોરેન્‍ટ પાવર દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકવા શરૂ કરેલા પ્રયાસોની પણ ટીકા થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મુકેશ માહદુ વાઘ જે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરી રહ્યો હતો ત્‍યાંથી સિંગલ ફેઈઝ અને થ્રી ફેઈઝ લાઈન પસાર થઈ રહી હતી. જ્‍યારે મૃતક કામ કરવા ગયો ત્‍યારે ટોરેન્‍ટ સત્તાવાળાઓ દ્વારા એવું કહેવામાં આવ્‍યું કે, બંને લાઈનોને સ્‍વીચ ઓફ કરવામાં આવી છે. ત્‍યારબાદ ઘટેલી કમનશીબ ઘટના બાદ મુકેશ વાઘનું થયેલ અપમૃત્‍યુ માટે ટોરેન્‍ટ પાવરની લાપરવાહી જવાબદારહોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આજે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર આપી ટોરેન્‍ટ પાવર સામે અનુ.જાતિ/જનજાતિ અત્‍યાચાર નિવારણ ધારા હેઠળ ફરિયાદ નોંધવા તથા મૃતક મુકેશ માહદુ વાઘના પરિવારને વળતર આપવા અને ટોરેન્‍ટ પાવર સામે તપાસ બેસાડી યોગ્‍ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, મૃતક મુકેશ વાઘના પરિવારમાં તેમના વૃદ્ધ માતા અને પિતાનો એકનો એક સહારો ખતમ થઈ જવા પામ્‍યો છે. એકમાત્ર મુકેશ વાઘ દ્વારા જ પરિવારનું ભરણપોષણ કરાતું હતું. હવે ઘડપણનો ટેકો પણ ખતમ થતાં મુકેશ વાઘના માતા-પિતા પણ બેસહારા બની ચુક્‍યા છે.

Related posts

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

ચોમાસામાં આહ્‌લાદક વાતાવરણ અને સૌંદર્યથી ભરપુર ચેરાપુંજીનો અહેસાસ કરાવતો સોળે કળાએ ખીલી ઉઠેલો વઘઈનો ‘ગીરા ધોધ’

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં વલસાડ ડાયટ દ્વારા સ્‍પોર્ટ ઈન્‍ટિગ્રેટેડ એજ્‍યુકેશન ટોય ઈન્‍ટીગ્રેટેડ એજ્‍યુકેશન વર્કશોપ યોજાયો

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment