June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

  • ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ મોતની ઘટનાના પડી રહેલા ઘેરા પ્રત્‍યાઘાત

  • આદિવાસી વિકાસ પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાત પડી રહ્યા છે અને ટોરેન્‍ટ પાવર દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકવા શરૂ કરેલા પ્રયાસોની પણ ટીકા થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મુકેશ માહદુ વાઘ જે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરી રહ્યો હતો ત્‍યાંથી સિંગલ ફેઈઝ અને થ્રી ફેઈઝ લાઈન પસાર થઈ રહી હતી. જ્‍યારે મૃતક કામ કરવા ગયો ત્‍યારે ટોરેન્‍ટ સત્તાવાળાઓ દ્વારા એવું કહેવામાં આવ્‍યું કે, બંને લાઈનોને સ્‍વીચ ઓફ કરવામાં આવી છે. ત્‍યારબાદ ઘટેલી કમનશીબ ઘટના બાદ મુકેશ વાઘનું થયેલ અપમૃત્‍યુ માટે ટોરેન્‍ટ પાવરની લાપરવાહી જવાબદારહોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આજે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર આપી ટોરેન્‍ટ પાવર સામે અનુ.જાતિ/જનજાતિ અત્‍યાચાર નિવારણ ધારા હેઠળ ફરિયાદ નોંધવા તથા મૃતક મુકેશ માહદુ વાઘના પરિવારને વળતર આપવા અને ટોરેન્‍ટ પાવર સામે તપાસ બેસાડી યોગ્‍ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, મૃતક મુકેશ વાઘના પરિવારમાં તેમના વૃદ્ધ માતા અને પિતાનો એકનો એક સહારો ખતમ થઈ જવા પામ્‍યો છે. એકમાત્ર મુકેશ વાઘ દ્વારા જ પરિવારનું ભરણપોષણ કરાતું હતું. હવે ઘડપણનો ટેકો પણ ખતમ થતાં મુકેશ વાઘના માતા-પિતા પણ બેસહારા બની ચુક્‍યા છે.

Related posts

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ OIDC દ્વારા વેલુગામમાં વિકસાવવામાં આવી રહેલ નવા ઉદ્યોગો માટેના પ્‍લોટની ફાળવણી હેતુ ઉદ્યોગપતિઓ સાથે ઉદ્યોગ સચિવ ગૌરવસિંહ રાજાવતે કરેલી સલાહ-મસલત

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય જેવી વિકળત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્‍ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્‍થળે રી-કન્‍સ્‍ટ્રક્‍શન

vartmanpravah

Leave a Comment