April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

  • ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ મોતની ઘટનાના પડી રહેલા ઘેરા પ્રત્‍યાઘાત

  • આદિવાસી વિકાસ પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાત પડી રહ્યા છે અને ટોરેન્‍ટ પાવર દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકવા શરૂ કરેલા પ્રયાસોની પણ ટીકા થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મુકેશ માહદુ વાઘ જે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરી રહ્યો હતો ત્‍યાંથી સિંગલ ફેઈઝ અને થ્રી ફેઈઝ લાઈન પસાર થઈ રહી હતી. જ્‍યારે મૃતક કામ કરવા ગયો ત્‍યારે ટોરેન્‍ટ સત્તાવાળાઓ દ્વારા એવું કહેવામાં આવ્‍યું કે, બંને લાઈનોને સ્‍વીચ ઓફ કરવામાં આવી છે. ત્‍યારબાદ ઘટેલી કમનશીબ ઘટના બાદ મુકેશ વાઘનું થયેલ અપમૃત્‍યુ માટે ટોરેન્‍ટ પાવરની લાપરવાહી જવાબદારહોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આજે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર આપી ટોરેન્‍ટ પાવર સામે અનુ.જાતિ/જનજાતિ અત્‍યાચાર નિવારણ ધારા હેઠળ ફરિયાદ નોંધવા તથા મૃતક મુકેશ માહદુ વાઘના પરિવારને વળતર આપવા અને ટોરેન્‍ટ પાવર સામે તપાસ બેસાડી યોગ્‍ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, મૃતક મુકેશ વાઘના પરિવારમાં તેમના વૃદ્ધ માતા અને પિતાનો એકનો એક સહારો ખતમ થઈ જવા પામ્‍યો છે. એકમાત્ર મુકેશ વાઘ દ્વારા જ પરિવારનું ભરણપોષણ કરાતું હતું. હવે ઘડપણનો ટેકો પણ ખતમ થતાં મુકેશ વાઘના માતા-પિતા પણ બેસહારા બની ચુક્‍યા છે.

Related posts

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

vartmanpravah

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીમાં ફંડ મેળવવા માટે બોગસ સખી મંડળ ઉભુ કરી 6.30 લાખના ફંડની ઉચાપત કરનારા ત્રણના આગોતરા જામીન કોર્ટે ફગાવ્‍યા

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

Leave a Comment