(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.20: આદિવાસીઓમાં રહેલી સાહસિકતા, પરિશ્રમ કરવાની માનસિકતા અને કુદરત પ્રત્યેનો પ્રેમ તેમજ પરિવાર ભાવના જેવી મહાન સંસ્કળતિ ઉજાગર કરતા આદિવાસી ભાષામાં તૈયાર કરેલા લોકગીતોનું આલ્બમ આવતીકાલે લોન્ચ થવા જઈ રહ્યું છે. ઉમરગામ તાલુકાના લોકપ્રિય આદિવાસી આર્ટિસ્ટ શ્રી દીપકભાઈ ચોપડીયાના કંઠસ્થે ગવાયેલા લોકગીતો આદિવાસીઓમાં ખૂબ જ વખણાયેલા છે. આ અગાઉ ઢંગી ખજુરી પાર્ટ વન આલ્બમના આદિવાસી લોક ગીતો સામાજિક લગ્ન પ્રસંગોમાં ભારે ધૂમ મચાવી હતી. આવતીકાલે ઢંગી ખજુરી પાર્ટ-ટુ નું લોચિંગ માટે ભીલાડ પોલીસ મથકની પાછળના ક્રિકેટ મેદાનમાં સાંજના પાંચ કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ મંત્રી અને ઉમરગામ ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, રીટાયર્ડ કલેકટર શ્રી એલ. સી. પટેલ, રિટાયર્ડ કલેક્ટર શ્રી આર. જે. પટેલ, પૂર્વ ડેપ્યુટી કલેક્ટર શ્રી અરવિંદભાઈ પટેલ, ધોડિયા સમાજ ડો. એસોસિએશન (ગુજરાત દમણ અને દાનહ)ના પ્રમુખ શ્રી ડો. પ્રદીપ ગરાસીયા સહિત મોટીસંખ્યામાં આદિવાસી ઉપસ્થિત રહેશે એવું જાણવા મળી રહ્યું છે.
Previous post