Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આદિવાસી સંસ્‍કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્‍બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્‍ચિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.20: આદિવાસીઓમાં રહેલી સાહસિકતા, પરિશ્રમ કરવાની માનસિકતા અને કુદરત પ્રત્‍યેનો પ્રેમ તેમજ પરિવાર ભાવના જેવી મહાન સંસ્‍કળતિ ઉજાગર કરતા આદિવાસી ભાષામાં તૈયાર કરેલા લોકગીતોનું આલ્‍બમ આવતીકાલે લોન્‍ચ થવા જઈ રહ્યું છે. ઉમરગામ તાલુકાના લોકપ્રિય આદિવાસી આર્ટિસ્‍ટ શ્રી દીપકભાઈ ચોપડીયાના કંઠસ્‍થે ગવાયેલા લોકગીતો આદિવાસીઓમાં ખૂબ જ વખણાયેલા છે. આ અગાઉ ઢંગી ખજુરી પાર્ટ વન આલ્‍બમના આદિવાસી લોક ગીતો સામાજિક લગ્ન પ્રસંગોમાં ભારે ધૂમ મચાવી હતી. આવતીકાલે ઢંગી ખજુરી પાર્ટ-ટુ નું લોચિંગ માટે ભીલાડ પોલીસ મથકની પાછળના ક્રિકેટ મેદાનમાં સાંજના પાંચ કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં પૂર્વ મંત્રી અને ઉમરગામ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ધરમપુર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, રીટાયર્ડ કલેકટર શ્રી એલ. સી. પટેલ, રિટાયર્ડ કલેક્‍ટર શ્રી આર. જે. પટેલ, પૂર્વ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી અરવિંદભાઈ પટેલ, ધોડિયા સમાજ ડો. એસોસિએશન (ગુજરાત દમણ અને દાનહ)ના પ્રમુખ શ્રી ડો. પ્રદીપ ગરાસીયા સહિત મોટીસંખ્‍યામાં આદિવાસી ઉપસ્‍થિત રહેશે એવું જાણવા મળી રહ્યું છે.

Related posts

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment