Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ ત્રીજીવાર જીત્‍યા અને ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13 : ગુજરાત રાજ્‍યની સ્‍થાપના થયા બાદ પ્રથમ સામાન્‍ય ચૂંટણીથી લઈ 2022 ની ચૂંટણી સુધી એક ચાલી રહેલી લોકવાયીકા સાચી ઠરી છે. લોકવાયીકા એવી છે કે લોકસભા કે વિધાનસભાની વલસાડની બેઠક જે પક્ષનો ઉમેદવાર જીતે એ પક્ષની સરકાર દેશ અને રાજ્‍યમાં બને અને જોગાનુજોગ આ લોકવાયીકા આજદિન સુધી સાચી ઠરતી આવી છે. 2022ની વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીમાં વલસાડની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ જંગી બહુમતિથી જીત્‍યા અને ગાંધીનગરમાં તા.12-12-2022ના રોજ સરકાર ભાજપની બની.
લોકવાયીકાના ચાલી રહેલા આ સિલસિલા ઉપર માત્ર વિધાનસભાની ચૂંટણીઓ ઉપર દૃષ્‍ટિપાત કરીએ. ગુજરાતની સ્‍થાપના 1961 થી 1975 સુધી કોંગ્રેસના ઉમેદવારો જીતેલા અને 1975 થી ફેરફારો થવા શરૂ થયેલા. ેજમાં 1995માં વલસાડની બેઠક ઉપર એન.સી.પી.ના ઉમેદવાર કેશવભાઈ પટેલ વિજેતા બનેલા. સરકાર એન.સી.પી. અને ભારતીય જનસંઘ ગઠબંધનની બની, 1980માં દોલતભાઈ દેસાઈ કોંગ્રેસ પક્ષથીજીત્‍યા હતા. સરકાર કોંગ્રેસની બની હતી. ફરી 1985 કોંગ્રેસના બરજોરજી પારડીવાલા જીત્‍યા હતા. સરકાર કોંગ્રેસની બની. 1990 થી આ સીટ ઉપર ભાજપમાંથી દોલતભાઈ દેસાઈ જીત્‍યા હતા. 2007માં પણ દોલતભાઈ ભાજપથી જીત્‍યા હતા. ત્‍યાર બાદ 2012-2017 અને 2022માં વલસાડ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ વિજેતા બન્‍યા અને ગાંધીનગરમાં સરકારો ભાજપની સ્‍થપાતી રહી. તેથી વલસાડની બેઠક ઉપર જે પક્ષનો ઉમેદવાર જીતે તે પક્ષની સરકાર રચાય આ લોકવાયીકા છેલ્લે 2022માં પણ સાબિત થઈ. ભરતભાઈ પટેલ ભાજપમાંથી પ્રચંડ બહુમતિથી જીત્‍યા અને તા.12-12-22 ના રોજ ગાંધીનગરમાં સરકાર બની.

Related posts

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

vartmanpravah

વલસાડ એલસીબી પોલીસે વાઘલધરા હાઈવે ઉપરથી રૂા.૧૪.૯૦ લાખનો દારૂનો જથ્થો ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું

vartmanpravah

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

vartmanpravah

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

Leave a Comment