December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ જીલ્લામાં ખોડીયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે દર વર્ષ આ દરેક મંદિરોમાં ખોડિયાર જયંતિનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે, જે અંતર્ગત આજે દીવ ના વણાંકબારા ખાતે ખોડિયાર મંદિર પર કળશ યાત્રા, હવન, ભજન કીર્તન, આરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં બહોળી સંખ્‍યામાં ભાવિ ભક્‍તોએ ભાગ લીધો અને ખોડિયાર માતાજીના આશીર્વાદ લીધા, તેજ રીતે દીવ ના દગાચી ખાતે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન થયું. દગાચી ખોડિયાર મંદિર એ પણ હવન, ધ્‍વજારોહણ, મહાપ્રસાદ, મહાઆરતી વગેરેનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રધ્‍ધાળુઓએ ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો, આજરોજ દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.

Related posts

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝમાં વાઈપર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીના પાણીમાં તરતી અજાણી મહિલાની લાશ મળી આવી

vartmanpravah

Leave a Comment