(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ જીલ્લામાં ખોડીયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે દર વર્ષ આ દરેક મંદિરોમાં ખોડિયાર જયંતિનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે દીવ ના વણાંકબારા ખાતે ખોડિયાર મંદિર પર કળશ યાત્રા, હવન, ભજન કીર્તન, આરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભાગ લીધો અને ખોડિયાર માતાજીના આશીર્વાદ લીધા, તેજ રીતે દીવ ના દગાચી ખાતે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન થયું. દગાચી ખોડિયાર મંદિર એ પણ હવન, ધ્વજારોહણ, મહાપ્રસાદ, મહાઆરતી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રધ્ધાળુઓએ ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો, આજરોજ દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.
Previous post