Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ જીલ્લામાં ખોડીયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે દર વર્ષ આ દરેક મંદિરોમાં ખોડિયાર જયંતિનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે, આ વર્ષે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે, જે અંતર્ગત આજે દીવ ના વણાંકબારા ખાતે ખોડિયાર મંદિર પર કળશ યાત્રા, હવન, ભજન કીર્તન, આરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં બહોળી સંખ્‍યામાં ભાવિ ભક્‍તોએ ભાગ લીધો અને ખોડિયાર માતાજીના આશીર્વાદ લીધા, તેજ રીતે દીવ ના દગાચી ખાતે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ઘાર્મિક કાર્યક્રમનું આયોજન થયું. દગાચી ખોડિયાર મંદિર એ પણ હવન, ધ્‍વજારોહણ, મહાપ્રસાદ, મહાઆરતી વગેરેનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રધ્‍ધાળુઓએ ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો, આજરોજ દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.

Related posts

થર્ટી ફર્સ્‍ટ ટાણે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: ચીખલી તાલુકામાં એસએમસી અને એલસીબી પોલીસે કાટિંગ કરતા સમયે જ ત્રાટકી ચીમલા અને મીણકચ્છથી રૂ.૧૮.૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

vartmanpravah

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

vartmanpravah

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

vartmanpravah

સ્‍વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્‍વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી

vartmanpravah

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

vartmanpravah

Leave a Comment