January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણજિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે પણ 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસનો કાર્યક્રમ કલેક્‍ટરાલયના પટાંગણમાં જ યોજવામાં આવશે. આન બાન અને શાન સાથે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની ઉજવણી જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના નેતૃત્‍વમાં કરવામાં આવશે.
સવારે 9:00 વાગ્‍યે યોજાનારા ધ્‍વજારોહનના કાર્યક્રમમાં જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ દ્વારા તિરંગો લહેરાવ્‍યા બાદ તેઓ વક્‍તવ્‍ય આપશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થયા બાદ બંને પ્રદેશોના મુક્‍તિ દિવસની ઉજવણી માત્ર ઔપચારિક બની ચુકી છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેવા સંગઠનો કે કોઈ જૂથ દ્વારા મુક્‍તિ દિવસની ઉજવણીને યાદગાર બનાવવાનો અવસર રહેલો છે.

Related posts

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપર સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ : ચાલકનો બચાવ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

vartmanpravah

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment