April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચના અને સંઘ પ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્કશોપમાં આરોગ્‍ય વિભાગ દીવના તમામ આયુષ ડોકટરો, ઘ્‍ણ્‍બ્‍, ખ્‍ફપ્‍ બહેનો, આશા બહેનો તેમજ અન્‍ય સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા. સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલાના ડો.અજય ગઢવી દ્વારા આ વર્ષના આયુર્વેદ દિવસની થીમ ‘‘હર દિન હર ઘર આયુર્વેદ” અને માર્ગ દર્શિકાઓ પ્રેઝન્‍ટેસન દ્વારા સમજાવવામાં આવી. હેલ્‍થ ઓફિસર ડો.સુલતાનના જણાવ્‍યા મુજબ, ઘણી બીમારીઓમાં આયુર્વેદિક સારવાર અને પંચકર્મ દ્વારા ખૂબ સુંદર પરિણામ મેળવી શકાય છે. જેથી દીવ જિલ્લાના લોકોને સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ દીવ, ઘ્‍ણ્‍ઘ્‍ ઘોઘલા, અને ભ્‍ણ્‍ઘ્‍ વનાકબારા પરથી ઉપલબ્‍ધ આ સારવાર લેવાનો અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

Related posts

સેલવાસના ડોકમરડી ખાતે બસ પલ્‍ટી મારતા પાંચ મુસાફરો ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

vartmanpravah

વાપી-વલસાડમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી પ્રદર્શન રેલી યોજાઈ

vartmanpravah

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

Leave a Comment