January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચના અને સંઘ પ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્કશોપમાં આરોગ્‍ય વિભાગ દીવના તમામ આયુષ ડોકટરો, ઘ્‍ણ્‍બ્‍, ખ્‍ફપ્‍ બહેનો, આશા બહેનો તેમજ અન્‍ય સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા. સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલાના ડો.અજય ગઢવી દ્વારા આ વર્ષના આયુર્વેદ દિવસની થીમ ‘‘હર દિન હર ઘર આયુર્વેદ” અને માર્ગ દર્શિકાઓ પ્રેઝન્‍ટેસન દ્વારા સમજાવવામાં આવી. હેલ્‍થ ઓફિસર ડો.સુલતાનના જણાવ્‍યા મુજબ, ઘણી બીમારીઓમાં આયુર્વેદિક સારવાર અને પંચકર્મ દ્વારા ખૂબ સુંદર પરિણામ મેળવી શકાય છે. જેથી દીવ જિલ્લાના લોકોને સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ દીવ, ઘ્‍ણ્‍ઘ્‍ ઘોઘલા, અને ભ્‍ણ્‍ઘ્‍ વનાકબારા પરથી ઉપલબ્‍ધ આ સારવાર લેવાનો અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

Related posts

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

vartmanpravah

ચીખલીમાં તાલુકા સેવા સદન બિલ્‍ડિંગ મધમાખી ઉછેર કેન્‍દ્ર બન્‍યું

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા ખો-ખો અને ફૂટબોલની સ્‍પર્ધા યોજાઈ : અંડર 14 છોકરાઓની ખો-ખો સ્‍પર્ધામાં જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ નાની દમણ બનેલી વિજેતા

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

Leave a Comment