Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

બનાવટી દસ્‍તાવેજોના આધારે પી.એસ.આઈ. બનેલા પંકેશ ટંડેલના સસ્‍પેન્‍શન બાદ હવે પોર્ટુગલ નાગરિકતા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવતાં છેવટે પોલીસ વિભાગે સેવામાંથી ટર્મિનેટ કરવાનો કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલ પાસેપોર્ટુગલની નાગરિકતા હોવાના કારણે તેમને નોકરીમાંથી ટર્મિનેટ કરવાનો આદેશ સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેએ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં આઈ.પી.સી.ની 420, 465, 471 કલમ અંતર્ગત દાખલ થયેલા ગુનામાં વિભાગીય તપાસ બાદ પી.આઈ. પંકેશ ટંડેલે બનાવટી દસ્‍તાવેજના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું પ્રતિત થતાં તત્‍કાલિન સંઘપ્રદેશના ડીઆઈજીપી શ્રી વિક્રમજીત સિંહે સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો હતો. ત્‍યારબાદ સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલ પાસે પોર્ટુગલની નાગરિકતા હોવાના આરોપ હેતુ સંઘપ્રદેશના ગૃહ વિભાગે 8મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ ભારત સરકારના વિદેશ મંત્રાલય પાસે પત્ર દ્વારા જાણકારી માંગી હતી. જેના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે 9મી ડિસેમ્‍બરના રોજ સંઘપ્રદેશ પ્રશાસનના સંયુક્‍ત ગૃહ સચિવને સસ્‍પેન્‍ડેડ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર પંકેશ ટંડેલ પાસે પોર્ટુગલની નાગરિકતા હોવાનો રિપોર્ટ આપતાં આજે સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેએ પી.આઈ. પંકેશ ટંડેલને તાત્‍કાલિક અસરથી ટર્મિનેટ કરવાનો આદેશ જારી કર્યો હતો.

Related posts

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું શાહી સન્‍માન

vartmanpravah

આજે મોટી દમણ ન્‍યૂ લાઈટ હાઉસ પાસે એમ્‍ફીથિયેટર અને ન.પા. કાર્યાલયમાં વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસના ઉપલક્ષમાં પ્રદર્શન યોજાશે

vartmanpravah

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

vartmanpravah

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

vartmanpravah

Leave a Comment