June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

બનાવટી દસ્‍તાવેજોના આધારે પી.એસ.આઈ. બનેલા પંકેશ ટંડેલના સસ્‍પેન્‍શન બાદ હવે પોર્ટુગલ નાગરિકતા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવતાં છેવટે પોલીસ વિભાગે સેવામાંથી ટર્મિનેટ કરવાનો કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલ પાસેપોર્ટુગલની નાગરિકતા હોવાના કારણે તેમને નોકરીમાંથી ટર્મિનેટ કરવાનો આદેશ સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેએ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં આઈ.પી.સી.ની 420, 465, 471 કલમ અંતર્ગત દાખલ થયેલા ગુનામાં વિભાગીય તપાસ બાદ પી.આઈ. પંકેશ ટંડેલે બનાવટી દસ્‍તાવેજના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું પ્રતિત થતાં તત્‍કાલિન સંઘપ્રદેશના ડીઆઈજીપી શ્રી વિક્રમજીત સિંહે સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો હતો. ત્‍યારબાદ સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલ પાસે પોર્ટુગલની નાગરિકતા હોવાના આરોપ હેતુ સંઘપ્રદેશના ગૃહ વિભાગે 8મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ ભારત સરકારના વિદેશ મંત્રાલય પાસે પત્ર દ્વારા જાણકારી માંગી હતી. જેના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે 9મી ડિસેમ્‍બરના રોજ સંઘપ્રદેશ પ્રશાસનના સંયુક્‍ત ગૃહ સચિવને સસ્‍પેન્‍ડેડ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર પંકેશ ટંડેલ પાસે પોર્ટુગલની નાગરિકતા હોવાનો રિપોર્ટ આપતાં આજે સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેએ પી.આઈ. પંકેશ ટંડેલને તાત્‍કાલિક અસરથી ટર્મિનેટ કરવાનો આદેશ જારી કર્યો હતો.

Related posts

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

vartmanpravah

Leave a Comment