Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

  • દમણની બે આઈ.એ.એસ. બેલડી રવિ ધવન અને રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલી
  • સ્‍વપ્‍નિલ નાયક મૂળ ગોવા રાજ્‍યના અધિકારી હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઈતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું થઈ રહેલું આકલન
સ્વપ્નિલ નાયક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 06 : સંઘપ્રદેશ પ્રશાસનમાં હાલમાં જોડાયેલા બે આઈ.એ.એસ. જોડીની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કર્યો છે અને તેમના સ્‍થાને અરૂણાચલ પ્રદેશથી 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયકને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં મુકવામાં આવ્‍યા છે.
હાલમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં વન સચિવ તરીકે કાર્યરત શ્રી રવિ ધવન અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ કરાયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવપ્રશાસનમાં આવી રહેલા 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયક મૂળ ગોવા સરકારના અધિકારી છે અને તેમનું 2016માં આઈ.એ.એસ.ના પદ ઉપર પ્રમોશન થયું હતું.
શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયક ભારત સરકારના તત્‍કાલિન આયુષ મંત્રાલયના રાજ્‍યમંત્રી શ્રી શ્રીપાદ યશોનાયકના અંગત સચિવ તરીકે પણ કાર્યરત હતા. તેઓ ગોવા રાજ્‍યના મૂળ અધિકારી હોવાના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઇતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

સંઘપ્રદેશ રમત અને યુવા વિભાગ દ્વારા સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોવિડ-૧૯ મેગાડ્રાઇવ અભિયાનનેᅠસુંદર પ્રતિસાદ: સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

vartmanpravah

Leave a Comment