-
દમણની બે આઈ.એ.એસ. બેલડી રવિ ધવન અને રૂચિકા કાત્યાલની અરૂણાચલ પ્રદેશ બદલી
-
સ્વપ્નિલ નાયક મૂળ ગોવા રાજ્યના અધિકારી હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઈતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું થઈ રહેલું આકલન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 06 : સંઘપ્રદેશ પ્રશાસનમાં હાલમાં જોડાયેલા બે આઈ.એ.એસ. જોડીની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કર્યો છે અને તેમના સ્થાને અરૂણાચલ પ્રદેશથી 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્વપ્નિલ એમ. નાયકને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં મુકવામાં આવ્યા છે.
હાલમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં વન સચિવ તરીકે કાર્યરત શ્રી રવિ ધવન અને તેમના ધર્મપત્ની શ્રીમતી રૂચિકા કાત્યાલની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ કરાયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવપ્રશાસનમાં આવી રહેલા 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્વપ્નિલ એમ. નાયક મૂળ ગોવા સરકારના અધિકારી છે અને તેમનું 2016માં આઈ.એ.એસ.ના પદ ઉપર પ્રમોશન થયું હતું.
શ્રી સ્વપ્નિલ એમ. નાયક ભારત સરકારના તત્કાલિન આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી શ્રીપાદ યશોનાયકના અંગત સચિવ તરીકે પણ કાર્યરત હતા. તેઓ ગોવા રાજ્યના મૂળ અધિકારી હોવાના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઇતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું માનવામાં આવી રહ્યું છે.