January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

  • દમણની બે આઈ.એ.એસ. બેલડી રવિ ધવન અને રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલી
  • સ્‍વપ્‍નિલ નાયક મૂળ ગોવા રાજ્‍યના અધિકારી હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઈતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું થઈ રહેલું આકલન
સ્વપ્નિલ નાયક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 06 : સંઘપ્રદેશ પ્રશાસનમાં હાલમાં જોડાયેલા બે આઈ.એ.એસ. જોડીની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કર્યો છે અને તેમના સ્‍થાને અરૂણાચલ પ્રદેશથી 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયકને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં મુકવામાં આવ્‍યા છે.
હાલમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં વન સચિવ તરીકે કાર્યરત શ્રી રવિ ધવન અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ કરાયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવપ્રશાસનમાં આવી રહેલા 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયક મૂળ ગોવા સરકારના અધિકારી છે અને તેમનું 2016માં આઈ.એ.એસ.ના પદ ઉપર પ્રમોશન થયું હતું.
શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયક ભારત સરકારના તત્‍કાલિન આયુષ મંત્રાલયના રાજ્‍યમંત્રી શ્રી શ્રીપાદ યશોનાયકના અંગત સચિવ તરીકે પણ કાર્યરત હતા. તેઓ ગોવા રાજ્‍યના મૂળ અધિકારી હોવાના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઇતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડમાં સુધારાની કામગીરીમાં છેલ્લા બે માસથી મહત્તમ રિજેક્‍શન આવતા અરજદારોને ધક્કા ખાવાની નોબત

vartmanpravah

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

Leave a Comment