Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

  • દમણની બે આઈ.એ.એસ. બેલડી રવિ ધવન અને રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલી
  • સ્‍વપ્‍નિલ નાયક મૂળ ગોવા રાજ્‍યના અધિકારી હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઈતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું થઈ રહેલું આકલન
સ્વપ્નિલ નાયક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 06 : સંઘપ્રદેશ પ્રશાસનમાં હાલમાં જોડાયેલા બે આઈ.એ.એસ. જોડીની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કર્યો છે અને તેમના સ્‍થાને અરૂણાચલ પ્રદેશથી 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયકને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં મુકવામાં આવ્‍યા છે.
હાલમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં વન સચિવ તરીકે કાર્યરત શ્રી રવિ ધવન અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલીનો આદેશ કરાયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવપ્રશાસનમાં આવી રહેલા 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયક મૂળ ગોવા સરકારના અધિકારી છે અને તેમનું 2016માં આઈ.એ.એસ.ના પદ ઉપર પ્રમોશન થયું હતું.
શ્રી સ્‍વપ્‍નિલ એમ. નાયક ભારત સરકારના તત્‍કાલિન આયુષ મંત્રાલયના રાજ્‍યમંત્રી શ્રી શ્રીપાદ યશોનાયકના અંગત સચિવ તરીકે પણ કાર્યરત હતા. તેઓ ગોવા રાજ્‍યના મૂળ અધિકારી હોવાના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી ઇતિહાસ-ભૂગોળને સમજતા તેમને સમય નહીં લાગશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

વલસાડમાં એક જ સ્‍થળે છેલ્લા ત્રણ દિવસથી લાગતી ભેદી આગ : લોકો ભયભીત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર રેલવે પાટામાં કાર ફસાઈ જતા રેલ વહેવાર પ્રભાવિત થયો

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

Leave a Comment