September 11, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં નિર્માણાધિન કોઈપણ જગ્‍યાએ પાણીનો ભરાવો નજરે પડશે તો જવાબદાર વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ દાનહ પીડીએ વિભાગ કાનૂની કાર્યવાહી કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસન પ્રદેશના તમામ નાગરિકોના આરોગ્‍ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબધ્‍ધ છે, તેથી જરૂરી છે કે જિલ્લામાં ડેંગ્‍યુ જેવા પાણીજન્‍ય બિમારીઓના ફેલાવાને રોકવા માટે નાગરિકોએ જરૂરી સાવચેતીઓ રાખવી આવશ્‍યક છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સક્ષમ અધિકારીના ધ્‍યાને આવ્‍યું છે કે, ખરાબ હવામાનના કારણે જુદી જુદી જગ્‍યાએ ખાસ કરીને દાદરા નગર હવેલી યોજના અને વિકાસ અધિકારી(ડીએનએચપીડીએ) અને સેલવાસ નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં નિર્માણાધિન સ્‍થળો ઉપર પાણી ભરાવાનું સંકટ ઉભું થઈ શકે છે.
સંભવતઃ ખતરાને ધ્‍યાને રાખતા દાદરા નગર હવેલી યોજના અને વિકાસ અધિકારીના રેકોર્ડમાં નોંધાયેલ તમામ વ્‍યક્‍તિ (બિલ્‍ડરો, ડેવલપર્સ, એન્‍જિનિયરો, વાસ્‍તુકારો, નિરીક્ષકો વગેરે સહિત)ઓને જિલ્લામાં નિર્માણાધીન સ્‍થળોએ પાણી ભરાવાના સંકટને ઓછું કરવા માટેના જરૂરી ઉપાયો લાગૂ કરવાના નિર્દેશો આપવામાં આવ્‍યા છે. જેમાં પાણીના થતાં સંગ્રહને રોકવું, નિયમિત તેનું નિરીક્ષણ કરવું અને પાણી જમા થવાની સંભાવનાવાળા વિસ્‍તારોની સાફ-સફાઈ કરવા જણાવાયું છે. કારણ કે, પાણી સંગ્રહ થવાના સ્‍થળોએ મચ્‍છરોના સંભવિત પ્રજનન સ્‍થળો બની શકે છે. તેથી દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા આપવામાં આવેલા નિર્દેશનું પાલન કરવા નિષ્‍ફળ જનારાઓ વિરૂદ્ધ સક્ષમ અધિકારી દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સામાન્‍ય વિકાસ નિયમ-2023 અંતર્ગત નિયત દંડ સામેલ છે. એમ ટાઉન પ્‍લાનિંગ ઓફિસર-દાનહની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દમણ જિલ્લા સ્‍તરીય આયોજીત ર્સ્‍ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળા નાની દમણના વિદ્યાર્થીએ ‘બોક્‍સિંગ’માં પ્રથમ અને આર્ચરીમાં મેળવેલો બીજો ક્રમ

vartmanpravah

સેલવાસમાં એચ.પી. ગેસ એજન્‍સી દ્વારા ગ્રાહકોને સમયસર સિલિન્‍ડર પહોંચાડવા નનૈયો

vartmanpravah

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

vartmanpravah

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સોમનાથની એસવીજી કંપનીના સુપરવાઈઝરની હત્‍યામાં સામેલ કામદારને જનમટીપ અને રૂા.10 હજારના દંડની સજાનો કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment