April 17, 2026
Vartman Pravah
ગુજરાતદમણદીવસેલવાસ

દમણ પરિવહન વિભાગે ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવેલા રોડ સલામતિના પાઠ

સંઘપ્રદેશમાં 34મા રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની જોર શોરથી થઈ રહેલી ઉજવણી
સડક સુરક્ષાથી જોડાયેલા નિયમો અને કાયદાનું પાલન કરી બહેતર સમાજના નિર્માણ માટે દમણના મોટર વાહન નિરીક્ષક બીપિન પવારે વિદ્યાર્થીઓને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા દેશભરમાં 11 જાન્‍યુઆરીથી 17મી જાન્‍યુઆરી, 2023 સુધી મનાવવામાં આવી રહેલા 34મા રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પરિવહન સચિવ શ્રી મેકાલા ચૈતન્‍ય પ્રસાદના માર્ગદર્શન હેઠળ ‘સડક સુરક્ષા-જીવન રક્ષા’ના મંત્રને ચરિતાર્થકરી દમણની ડેન્‍ટલ કોલેજ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ એક વિશેષ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પરિવહન વિભાગના નિર્દેશક સહ સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહન અને મોટર વાહન નિરીક્ષક શ્રી બીપિન પવારના નેતૃત્‍વમાં આયોજીત ‘સડક સુરક્ષા- જીવન રક્ષા’ અભિયાન અંતર્ગત ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ રોડ સુરક્ષાના સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાં પણ કરી હતી.
આ પ્રસંગે મોટર વાહન નિરીક્ષક શ્રી બીપિન પવારે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, રોડ ઉપર ચાલતા સમયે આપણી બીજાના પ્રત્‍યેની જવાબદારીનું પણ ભાન હોવું જોઈએ. સડક સુરક્ષાથી જોડાયેલા નિયમો અને કાયદાના પાલનથી આપણે ચોક્કસપણે એક બહેતર સમાજનું નિર્માણ કરી શકીએ એવું શ્રી પવારે જણાવ્‍યું હતું. તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્‍યાપકોને રોડ સુરક્ષા સાથે જોડાયેલા નિયમો અને કાયદાની બાબતમાં જાણકારી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સડક સુરક્ષાના પ્રત્‍યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ અપીલ કરી હતી.

Related posts

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

vartmanpravah

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના નવનિયુક્‍ત અધ્‍યક્ષ પવન અગ્રવાલનું ભાજપ નેતા હરિશ પટેલસહિત આગેવાનોએ કરેલું અભિવાદન

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

Leave a Comment