April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

અનાવિલ હોલમાં ચાલતી તડામાર પૂર્વ તૈયારીઓ : 3 થી 4 હજાર અનાવિલો કાર્યક્રમમાં સહભાગી બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલ શુક્રવારે વાપી અનાવિલ હોલમાં 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંગઠન દ્વારા આ બીજો સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે.
વાપી વિસ્‍તારમાં વસતા અનાવિલ સમાજ માટે ખુબ મહત્ત્વનો પ્રસંગ એટલે બટુકોના યજ્ઞપવિત સંસ્‍કાર જેને લગ્ન પ્રસંગ જેટલો મુલ્‍યવાન લેખાય છે. તેથી વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલે દ્વિતિય સામુહિક યજ્ઞોપવિત કાર્યક્રમ અનાવિલ હોલમાં યોજાનાર છે. અનાવિલ યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા અનાવિલ હોલમાં બે દિવસથી પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં 40 બટુકોનો સામુહિક યજ્ઞોપવિત સ્‍વજનોની વિશાળ હાજરીમાં થશે. કાર્યક્રમમાં સમાજના ત્રણથી ચાર હજાર અનાવિલો સહભાગી થશે.

Related posts

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

vartmanpravah

મહાત્‍મા ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અપશબ્‍દો સાથે ગંદી પોસ્‍ટ કરનાર સામે એફ.આઈ.આર. નોંધવા દાનહ કોંગ્રેસની માંગ

vartmanpravah

સેલવાસ-નરોલીના રોયલ બારના સંચાલક શર્મા અને તેના સાગરીતો દ્વારા ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

વાપીમાં રૂા.4.પ0 કરોડના ખર્ચે સાકાર થયેલાઆર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

Leave a Comment