અનાવિલ હોલમાં ચાલતી તડામાર પૂર્વ તૈયારીઓ : 3 થી 4 હજાર અનાવિલો કાર્યક્રમમાં સહભાગી બનશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલ શુક્રવારે વાપી અનાવિલ હોલમાં 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠન દ્વારા આ બીજો સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે.
વાપી વિસ્તારમાં વસતા અનાવિલ સમાજ માટે ખુબ મહત્ત્વનો પ્રસંગ એટલે બટુકોના યજ્ઞપવિત સંસ્કાર જેને લગ્ન પ્રસંગ જેટલો મુલ્યવાન લેખાય છે. તેથી વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલે દ્વિતિય સામુહિક યજ્ઞોપવિત કાર્યક્રમ અનાવિલ હોલમાં યોજાનાર છે. અનાવિલ યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા અનાવિલ હોલમાં બે દિવસથી પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં 40 બટુકોનો સામુહિક યજ્ઞોપવિત સ્વજનોની વિશાળ હાજરીમાં થશે. કાર્યક્રમમાં સમાજના ત્રણથી ચાર હજાર અનાવિલો સહભાગી થશે.