April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં આર એન્‍ડ બી સચિવ હાઈવે ચીફ એન્‍જિનિયર, સ્‍ટેટહાઈવેના અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરની મીટિંગ યોજાઈ

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગુજરાત સરકારના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના વિવિધ કામો જેવા કે રોડ, ઓવરબ્રિજ, વાપી હાઈવેના બલીઠા, મોરાઈ, બગવાડા, કરમબેલી, જે-ટાઈપ, વાપી રેલવે બ્રિજ અને વીઆઈએ ચાર રસ્‍તાથી કરવડ સુધી આરસીસી રોડનું કાર્ય અને ગોવિંદાથી બલીઠા સુધી આરસીસી ગટરનું કાર્ય કરનાર દરેકે દરેક વિભાગીયના અધિકારીઓ અને દરેક વિભાગના કોન્‍ટ્રાકટરોને બોલાવી એમની સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરવામાં આવી, અને જેમ બને એમ ઝડપથી કાર્ય કરવા તમામને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નેશનલ હાઈવેના પ્રાદેશિક અધિકારી શ્રી એન.એન.ગીરી અને આર એન્‍ડ બી ના સચિવ શ્રી એસ.બી.વસાવા, ગુજરાત સરકારના નેશનલ હાઈવે ના ચીફ એન્‍જિનિયર અને આર એન્‍ડ બી ના એડિશનલ સેક્રેટરી શ્રી એચ.સી.મોદી, આર એન્‍ડ બી ના સુપ્રીટેન્‍ડિંગ એન્‍જિનિયર વસાવા – સુરત, સ્‍ટેટ હાઈવેના આશિષ ચૌહાણ અને હેમાબેન તથા વાપી, કરવડ, મોટાપોંઢા અને ખાનપુર રોડ તથા વાપી-દમણ, જે-ટાઈપ, બગવાડા, બલીઠા અને મોરાઈ ફલાય ઓવર તેમજ છરવાડા અને ટુકવાડાનો રોડ અંડરપાસનુંકાર્ય કરનાર એજન્‍સીના સંબંધિત અધિકારીઓ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (સ્‍ત્‍ખ્‍) ના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, વીઆઈએના માનદ મંત્રી અને વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન તેમજ વાપી ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર અને વી.જી.ઈ.એલ.ના ડાયરેક્‍ટર શ્રી યોગેશભાઈ કાબરિયા અને વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મિલનભાઈ દેસાઈ તથા વીઆઈએની નોટીફાઈડ એરિયા કમિટીના ચેરમેન અને નોટીફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

vartmanpravah

ભામટી અને દમણવાડા પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા દ્વારા સાંસ્‍કૃતિ કાર્યક્રમ સાથે 61મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ ઉજવાયો

vartmanpravah

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ ફરી સક્રિય થયા : રાનકુવા વિસ્તારની બે સોસાયટીને નિશાન બનાવે તે પહેલા જ ઘરના સભ્યો જાગી જતા ચોરટાઓ ભાગી છૂટ્યા

vartmanpravah

Leave a Comment