October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં આર એન્‍ડ બી સચિવ હાઈવે ચીફ એન્‍જિનિયર, સ્‍ટેટહાઈવેના અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરની મીટિંગ યોજાઈ

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગુજરાત સરકારના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના વિવિધ કામો જેવા કે રોડ, ઓવરબ્રિજ, વાપી હાઈવેના બલીઠા, મોરાઈ, બગવાડા, કરમબેલી, જે-ટાઈપ, વાપી રેલવે બ્રિજ અને વીઆઈએ ચાર રસ્‍તાથી કરવડ સુધી આરસીસી રોડનું કાર્ય અને ગોવિંદાથી બલીઠા સુધી આરસીસી ગટરનું કાર્ય કરનાર દરેકે દરેક વિભાગીયના અધિકારીઓ અને દરેક વિભાગના કોન્‍ટ્રાકટરોને બોલાવી એમની સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરવામાં આવી, અને જેમ બને એમ ઝડપથી કાર્ય કરવા તમામને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નેશનલ હાઈવેના પ્રાદેશિક અધિકારી શ્રી એન.એન.ગીરી અને આર એન્‍ડ બી ના સચિવ શ્રી એસ.બી.વસાવા, ગુજરાત સરકારના નેશનલ હાઈવે ના ચીફ એન્‍જિનિયર અને આર એન્‍ડ બી ના એડિશનલ સેક્રેટરી શ્રી એચ.સી.મોદી, આર એન્‍ડ બી ના સુપ્રીટેન્‍ડિંગ એન્‍જિનિયર વસાવા – સુરત, સ્‍ટેટ હાઈવેના આશિષ ચૌહાણ અને હેમાબેન તથા વાપી, કરવડ, મોટાપોંઢા અને ખાનપુર રોડ તથા વાપી-દમણ, જે-ટાઈપ, બગવાડા, બલીઠા અને મોરાઈ ફલાય ઓવર તેમજ છરવાડા અને ટુકવાડાનો રોડ અંડરપાસનુંકાર્ય કરનાર એજન્‍સીના સંબંધિત અધિકારીઓ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (સ્‍ત્‍ખ્‍) ના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, વીઆઈએના માનદ મંત્રી અને વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન તેમજ વાપી ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર અને વી.જી.ઈ.એલ.ના ડાયરેક્‍ટર શ્રી યોગેશભાઈ કાબરિયા અને વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મિલનભાઈ દેસાઈ તથા વીઆઈએની નોટીફાઈડ એરિયા કમિટીના ચેરમેન અને નોટીફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

Leave a Comment