Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

  • સંઘપ્રદેશ પ્રશાસન માટે દીવ જિ.પં.ના સભ્‍ય અને ઉપ પ્રમુખ પદેથી શશીકાંત માવજીની હકાલપટ્ટીનો મોકળો બનેલો માર્ગ

  • 2010થી વિદેશી નાગરિકતા હોવા છતાં શશીકાંત માવજી સોલંકીએ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં બેરોકટોક લીધેલો હિસ્‍સો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20 : ભારત સરકારના ગૃહ અને વિદેશ મંત્રાલયે દીવ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શશીકાંત માવજી સોલંકી પાસે વિદેશી નાગરિકતા હોવાનું સ્‍પષ્‍ટ કરતાં હવે તેમના દીવ જિલ્લા પંચાયતના સભ્‍ય અને ઉપ પ્રમુખ પદ સામે સંકટ પેદા થયુંછે. આવતા દિવસોમાં સંઘપ્રદેશ પ્રશાસન શશીકાંત માવજી સોલંકીને જિલ્લા પંચાયતના સભ્‍ય અને ઉપ પ્રમુખ પદેથી ગેરલાયક ઠેરવી શકે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન નીતિ-નિયમો વિરૂદ્ધ અને ભ્રષ્‍ટ રીતિ-નીતિ અપનાવતા મોટા ચમરબંધીને પણ સાણસામાં લેવામાં આવ્‍યા છે. જે કડીમાં દમણ જિલ્લા પંચાયતના તત્‍કાલિન પ્રમુખ નવિન પટેલની ખંડણી અને હપ્તા વસૂલીમાં પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ બાદ તેમને જિલ્લા પંચાયતના સભ્‍ય અને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી સસ્‍પેન્‍ડ અને ગેરલાયક ઠેરવવાનો આદેશ જારી કરાયો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શશીકાંત માવજી સોલંકી પાસે 2010થી વિદેશી નાગરિકતા હોવા છતાં સંઘપ્રદેશ પ્રશાસનના તત્‍કાલિન ઉચ્‍ચ અધિકારીઓની ઉદાસિનતા અને શશીકાંત માવજીની પહોંચના કારણે તેઓ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી કોઈપણ પ્રકારના રોકટોક વગર લડતા રહ્યા છે અને વિવિધ બંધારણીય જવાબદારીઓ પણ સંભાળી ચુક્‍યા છે.
મળતી માહિતી પ્રમાણે દીવ પોલીસ શશીકાંત માવજીની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી ધરપકડ પણ કરી શકે છે.

Related posts

નવસારી જિલ્લામાં મુખ્‍યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્‍કોલરશીપ યોજનામાં ધો.9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ શિષ્‍યવૃત્તિના લાભથી વંચિત

vartmanpravah

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ ફરમાન બ્રહ્માની સલાહ માતા-પિતા બાળકોને વેફર, કૂરકૂરે, બિસ્‍કિટ, ચોકલેટ વગેરેનો ખોરાક બાળકને આપવાનું બંધ કરશે તો બહુ જલદી સંઘપ્રદેશ કુપોષણથી મુક્‍ત બનશે

vartmanpravah

દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા

vartmanpravah

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

Leave a Comment