April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

  • નોડલ ઓફિસર અને એસડીપીઓ મન્ની ભૂષણ સિંઘે તિરંગાના પ્રોટોકોલની આપેલી સમજઃ 100 ટકા સફળ બનાવવા કરેલું આહ્‌વાન

  • દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રોપર્ટી કાર્ડનું પણ કરાયેલું વિતરણ

  • આવતા 25 વર્ષ બાદ 15મી ઓગસ્‍ટ 2047ના દિવસે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્‍યારે જો હયાત રહ્યા તો આપણે અને આપણી પેઢી ગર્વથી યાદ કરશે કે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠે અમૃત મહોત્‍સવ ઉજવી અમે અમારા ઘર ઉપર તિરંગો લહેરાવ્‍યો હતોઃ મુકેશ ગોસાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.05: દમણવાડા ગ્રામ પંચાયતની આજે યોજાયેલી વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરવામાં આવ્‍યું હતું અને ખાતેધારકોને તેમના પ્રોપર્ટી કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

‘હર ઘર તિરંગા’ અભિયાનના દમણવાડા ગ્રામ પંચાયતના નોડલ ઓફિસર અને એસડીપીઓ શ્રી મન્ની ભૂષણ સિંઘે દમણવાડા ગ્રામ પંચાયતના તમામ ઘરો ઉપર તિરંગો લહેરાવવા હાકલ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, વિશ્વના 150 દેશોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે, ત્‍યારે આપણે પાછળ રહીએ તે નહીંચાલે. એવી ભાવના પણ વ્‍યક્‍ત કરી હતી.

શ્રી મન્ની ભૂષણ સિંઘે તિરંગાના પ્રોટોકોલની પણ સમજ આપી હતી અને 13મી ઓગસ્‍ટથી 15મી ઓગસ્‍ટ દરમિયાન દરેકના ઘરે તિરંગો લાગે તેની તકેદારી લેવા પણ ગ્રામ પંચાયતને તાકિદ કરી હતી.

આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આવતા 25 વર્ષ બાદ આપણે આઝાદીની સદી ઉજવીશું ત્‍યારે જો હયાત રહ્યા તો આપણે ગર્વથી કહીશું કે, દેશની 75મી આઝાદીના દિવસે અમે અમારા ઘર ઉપર તિરંગો લહેરાવ્‍યો હતો. અમે પણ આઝાદીના અમૃત મહોત્‍સવનો ભાગ બન્‍યા હતા. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આજે જેમની ઉંમર 5, 10, 15 કે 20 છે તેઓ આવતા 25 વર્ષ બાદ 2047ની 15મી ઓગસ્‍ટે યાદ કરશે અને ગર્વથી કહેશે કે અમારા ઘરે પણ 2022માં તિરંગો લહેરાયો હતો. આપણાં યશસ્‍વી અને કર્મયોગી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રભાવના અને દેશભક્‍તિને જગાવવાનો અવસર આપ્‍યો છે. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતનું એક પણ ઘર તિરંગાથી વંચિત નહીં રહે તેની તકેદારી રાખવા પણ ગ્રામજનોને અપીલ કરી હતી.

સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ઘર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે વિશેષ ગ્રામસભાના આયોજનમાં રેવન્‍યુ વિભાગ દ્વારા તૈયારકરાયેલા પ્રોપર્ટી કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, જેમના હૈયે હંમેશા આપણાં પ્રદેશનું હિત સમાયેલું છે એવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગાંવઠાણમાં રહેતા લોકોને તેમના પ્રોપર્ટી કાર્ડ મળે અને પ્રોપર્ટીની બાબતમાં કોઈ તકરાર નહીં રહે એ માટે ડ્રોન દ્વારા કરાવેલા સર્વે બાદ રેવન્‍યુ વિભાગે તૈયાર કરેલ પ્રોપર્ટી કાર્ડ આજે પંચાયત દ્વારા આપવામાં આવી રહ્યા છે. પ્રોપર્ટી કાર્ડથી હવે લોન મેળવવાનું પણ સરળ બનશે એવી લાગણી સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ વ્‍યક્‍ત કરી હતી. તેમણે પંચાયત દ્વારા બનાવવામાં આવેલ લાયબ્રેરી, સરલ સેવા કેન્‍દ્ર અને એટીએમની પણ માહિતી આપી હતી અને ખુબ જ ટૂંક સમયમાં આ સંકુલનું ઉદ્‌ઘાટન પણ કરાશે એવી જાણકારી પણ આપી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના ઉપ પ્રમુખ શ્રી શરદભાઈ પુરોહિતે ‘હર ઘર તિરંગા’ અભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા હાકલ કરી હતી. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા વિકાસ કામોની પણ પ્રશંસા કરી હતી.

દમણવાડા વિભાગના જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે પોતાના સમાપન વક્‍તવ્‍યમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનના માધ્‍યમથી આપેલીતકનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવા ગામવાસીઓને અપીલ કરી હતી. તેમણે ઉપસ્‍થિત મહિલાઓને પણ પોતાના ઘરમાં તિરંગો લહેરાય તેની કાળજી રાખવા પણ આહ્‌વાન કર્યું હતું. આ પ્રસંગે મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી વિશાલ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ તેમજ પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

એસ.ડી.પી.ઓ. શ્રી મન્ની ભૂષણ સિંઘ દ્વારા પણ સાંકેતિક પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન એસ.બી.આઈ.ની મોટી દમણ શાખાના પૂર્વ ચીફ મેનેજર શ્રી ગણેશભાઈ પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલભાઈ મીટનાના નેતૃત્‍વમાં પંચાયતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા

vartmanpravah

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

ચીખલી કોલેજમાં શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે પ્રમુખ સ્‍વામી મહારાજના ચિત્રનું કોઠારી સ્‍વામીના હસ્‍તે અનાવરણ કરાયું

vartmanpravah

Leave a Comment